SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ દયા છત્રીશી-સાર્થ ઇંદ નરિંદ કરે ઈમ સેવસુ, જેસે અહે કોઉ દામિકો ચેરો; અષ્ટ મહાસિધ નિધ વિરાજત, તેજ પ્રતાપ વધે જ્યું ઘનેરો; જ્ઞાન-રવિ પ્રગટે ઘટ અંતર, હોય વિÜસ મિથ્યાત અંધેરો; યા વિધ હોય મહાફળ જાકું જ્યું, ઐસી દયામેં વસ્યો મન મેરો. ૨૫ કોઉ અજ્ઞાન કરે શિવ સાધન, જાણ વિના બહુ જીવ સતાવે; ઉરધ બાહુ અધોમુખ ઝુલત, જાર હુતાસન અંગ જલાવે; કોઉ કરે ફલ ફૂલકો ભક્ષણ, અણગલ પાણીમેં નિત નહાવે; કરણી કરુણાભાવ વિના કરે, બ્રહ્મરૂપ કહો ક્રિમ પાવે. ૨૬ આપ સમાન લખે સહુ જીવકું, પીડ નહિ પરકું ઉપજાવે; સમતા ધાર તજે મમતા-મળ, જ્ઞાન સરોવરમેં નિત ન્હાવે; ૮૩ ઇંદ્રો અને નરેન્દ્રો સેવા કરે, જેથી કોઈ અતિશયશાળી થાય, અષ્ટ મહાસિદ્ધિ અને નવ નિધિ વિરાજે, જેનાથી ઘણો તેજ-પ્રતાપ વધે, આત્માની અંદર જ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ થાય, મિથ્યાત્વરૂપ અંધારાનો નાશ થાય' આવા પ્રકારનું મહાફળ જેનાથી થાય એવી દયામાં મારુ મન વસેલું છે. ૨૫ કોઈ અજ્ઞાની જીવ મોક્ષ માટે અજ્ઞાન સાધના-કષ્ટકારી ક્રિયા કરે, જ્ઞાન વિના ઘણા જીવોને પીડા કરે, ઉંચા હાથ રાખે, નીચું મુખ કરી ઉંધે માથે ઝૂલે, અગ્નિ પ્રજ્વલિત કરી અંગને બાળે, ફળ-ફૂલનું ભક્ષણ કરે, ગાળ્યા વગરના પાણીમાં હંમેશાં સ્નાન કરે. આવી બધી ક્રિયાઓ દયાભાવ વિના કરે તે બ્રહ્મસ્વરૂપ કયાંથી પામે ? તે કહો. ૨૬ જે આત્મા પોતાની સમાન સર્વ જીવને જાણીને બીજા જીવને પીડા ન ઉપજાવે, સમતાને ધારણ કરી મમતારૂપી મળને તજે, જ્ઞાન-સરોવરમાં હંમેશાં સ્નાન કરે, દોષ વગરનો અલ્પ આહાર કરે, યોગરૂપી અગ્નિથી શરીરને તેમજ કર્મને તપાવે,
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy