________________
૨
૭
સવૈયા-સાર્થ
મુક્તાફળ સ્વાતકે ઉદક ભયો સીપસંગ, કાષ્ટ હુ પાષાણ ક્યું સીલોદક સરસથી; ચિદાનંદ આતમ પરમાતમ સરૂપ ભયો, અવસર પાય ભેદ-જ્ઞાનકે દરસથી. ૪૯ ખટ કાય મઝ ધાર ચોલણે ચોરાસી લાખ, નાના રૂપ સજ બહુવિધ નાચ કિનો હે; પંચ જો મિથ્યાતરૂપ સજ સણગાર અંગ, મોહમયી મદિરાકો કેફ અતિ પીનો હે; કુમતિ કુસંગ લીયો ઉભટ વેસ કીયો, ફીરત મગન ક્રોધ-માન રસ ભીનો હે; ચિદાનંદ આપકો સરૂપ વિસરાય એસે, સાંસારિક જીવકો બિરૂદ મોટો લીનો હે. ૫૦
મોતી થાય છે, શીલોદકથી અને સરેશથી લાકડું પત્થર જેવું થાય છે, તે ચિદાનંદ! અવસરે ભેદજ્ઞાનનું દર્શન પામીને આત્મા પરમાત્મસ્વરૂપ બને છે. ૪૯
આ જીવે પૃથ્વીકાય આદિ છ કાયની અંદર ચોરાશી લાખ યોનિરૂપ વેષ ધારણ કરીને જુદાં જુદાં રૂપો સજી ઘણા પ્રકારે નાચ કર્યો. પાંચ મિથ્યાત્વરૂપ શણગારને અંગ ઉપર સજી, મોહરૂપ મદિરાનું પાન કરી ઉન્મત્ત થયો. કુમતિનો કુસંગ કરી ઉભટ વેષ ધારણ કર્યો. ક્રોધ અને માનમાં મગ્ન થઈ તેના રસમાં રકત થઈ ચાર ગતિમાં ફર્યા કરે છે. તે ચિદાનંદ ! આ રીતે જીવે પોતાના સ્વરૂપને ભૂલી સાંસારિક જીવનું મોટું બિરુદ પ્રાપ્ત કર્યું. ૫૦