SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ કપૂર મહેંક-૭ વનિતાવિલાસી નાનાવિધ દુઃખ પાયે એસે, આમિષ આસકત કષ્ટ લહ્યો જૈસે કાગ જ્યું. નવપરણિત નાર વસુ ધન ધામ ત્યાગ, છિનમાં જ લહે ભવઉદધિકે પાર જ્યું; ચિદાનંદ નરકવાર હે પ્રગટ નાર, જ્ઞાનહીન કરે તેથી અતિ અનુરાગ જ્યું. ૪૮ સુણી ભંગકેરા શબ્દ કીટ ફીટ ભંગ ભયો, લોહકો વિકાસ ગયો પારસ ફરસથી; ફુલકે સંજોગ તિલતેલ હુ ભયો ફુલેલ, તરુ ભયે ચંદન સુવાસકે ફરસથી; ‘સ્ત્રીઓની સાથેનો વિલાસ એ દુઃખનો નિવાસ છે' એમ જેમને સમજાયું તેથી શ્રી જંબૂસ્વામીએ મનમાં વિરાગ ધારણ કર્યો. સ્ત્રીઓની સાથે વિલાસ કરનાર અનેક પ્રકારનાં દુઃખને પામે છે, જેવી રીતે માંસમાં આસક્ત એવો કાક-કાગડે કષ્ટ પામે છે, આથી નવી પરણેલી સ્ત્રીઓ સુવર્ણ, ધન અને ઘરનો ત્યાગ કરીને ક્ષણવારમાં જ ચારિત્ર લઈ શ્રી જંબૂસ્વામી સંસાર સમુદ્રનો પાર પામ્યા-મોક્ષે ગયા. હે ચિદાનંદ ! સ્ત્રી એ પ્રગટ નરકનું દ્વાર છે, જે અજ્ઞાની છે તે તેની સાથે ઘણો અનુરાગ કરે છે. ૪૮ ભ્રમરનો શબ્દ સાંભળી ઈયળ તેના ધ્યાનમાં રહી ઈયળપણાનો ત્યાગ કરી ભ્રમર થાય છે, પારસમણિનો સ્પર્શ થવાથી લોઢાનો વિકાર જાય છે, અર્થાત્ લોઢું સુવર્ણ થાય છે, ફૂલનો સંયોગ થવાથી તલનું તેલ ફૂલેલ-સુગંધી થાય છે, ચંદનની સુવાસના સ્પર્શથી તેથી નજીકમાં રહેલાં વૃક્ષો સુગંધી થાય છે, છીપના સંયોગથી સ્વાતિ નક્ષત્રનું છીપમાં પડેલ પાણીનું બિંદુ
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy