________________
૨
૧
સવૈયા-સાર્થ
એસો ધ્યાન અગનિ પ્રજાર કાયકુંડ બીચ, કર્મકાષ્ટ કરી ર્યું આહુતિ તામેં ડારીએ; દુર્થોન દૂર હોય આપ ધ્યાન ભુરી ભયે, શુદ્ધ હી સરૂપ નિજ કર થિર ધારીએ. ૪૦ ભૂલ્યો ફિરે ફુલ્યો મોહ મદિરાકી છાકમાંહિ, ધાર્યો નહિ આતમ અધ્યાતમ વિચારકું; પંડિત કહાયો ગ્રંથ પઢી આયો નાંહિ સાચો, ભેદ પાયો અરુ ધાયો દેહકે વિકારકું; પ્રભુતાઈ ઘોર નવિ પ્રભુકું સંભારે મુખ, જ્ઞાન તો ઉચારે નવિ મારે મનજાર; ખોટો ઉપદેશ દેવે અતિ અનાચાર સેવે, તે તો નવિ પાવે ભવઉદધિકે પારકું. ૪૧ અસત્યાનંદ રૌદ્રધ્યાન, ૩ ચૌર્યાનંદ રૌદ્રધ્યાન અને ૪ સંરક્ષાનુબંધી રૌદ્રધ્યાન.
આનું સ્વરૂપ ગુરુગમથી ધારણ કરીએ. કાયારૂપી કુંડની અંદર આવો. ધ્યાનરૂપી અગ્નિ પ્રજવલિત કરી તેમાં કર્મરૂપી કાષ્ઠની આહુતિ નાખીએ. જેમ જેમ દુર્થાન દૂર થાય તેમ તેમ આત્મધ્યાન વિશેષ થાય. પોતાના શુદ્ધ સ્વરૂપને પોતાનું કરી તેને સ્થિરપણે ધારણ કરીએ. ૪૦
અજ્ઞાનથી ભૂલો પડેલો મોહ-મદિરામાં બેભાન થયેલો ફૂલ્યો ફરે છે. આત્માના અધ્યાત્મવિચારને જે ધારણ કરતો નથી. જે ગ્રંથો ભણીને પંડિત કહેવાયો પણ સાચા ભેદને પામ્યો નહિ. અને દેહના વિકારો તરફ દોડ્યો, મોટાઈને ધારણ કરે પણ મુખથી પ્રભુને યાદ ન કરે. જ્ઞાનનો ઉચ્ચાર કરે પણ વ્યભિચારી મનને મારે નહિ, લોકોને ખોટો ઉપદેશ આપે અને ઘણા