________________
૧૨
કપૂર મહેક-૭ માયાકું તોર રુ ધ્યાનમું જોરકે, પાયા જિનુને સુવાસ વસેરા; યા વિધ ભાવ વિચાર ચિદાનંદ, સોઈ સુસંત અહે ગુરુ મેરા. ૨૨ કાકું દેશ-વિદેશ ફિરે નર ? કહેલું સાયરકું અવગાહે ? કહેલું આશ કરે પરકી શઠ? નીચ નરેશકી ચાકરી ચાહે ? કહેલું સોચ વિચાર કરે તન? અંતર તાપથી કાટેકું દાહે ? દીનો અહે અવતાર તોહે જિણ, તાકો તો ભારણું તેડુ નિવાહે. ૨૩ કહેલું જંતર મંતર સાધત, કાલેકું નિસા મસાણમેં જાવો; કહેલું દેવકી સેવ કરો તુમ? કાલેકું આક-ધતુર ક્યું ખાવો? પંચક વિત્ત અસારકે કારણ, કાયેલું ઓર કે દાસ કહાવો ? આશ કહા કરીએ પરકી નર ! હોઈ નિરાશ નિરંજન બ્રાવો. ૨૪ ધ્યાનના બળે જેણે આત્મસ્વરૂપમાં રમણતારૂપ ઉત્તમ નિવાસ સ્થાનમાં જેણે વસવાટ કર્યો છે. તે ચિદાનંદ ! આ રીતે જેઓ ભાવોનો વિચાર કરે છે, તે ઉત્તમ સંત મારા ગુરુ છે. ૨૨
હે મનુષ્ય ! શા માટે દેશ-વિદેશમાં ફરે છે ? શા માટે સમુદ્રમાં સફર કરે છે ? હે મૂર્ખ ! શા માટે પારકી આશા કરે છે ? શા માટે નીચ રાજાની ચાકરી ઇચ્છે છે ? હે શરીર ! શા માટે સંતાપ કરે છે ? વિચાર કરે છે ? અંતરના તાપથી શા માટે બળે છે ? તને જેણે અવતાર-જન્મ આપ્યો, તેના ભારને તે જ (નિવાહ-) ઉપાડે છે. ૨૩
શા માટે યંત્ર-મંત્ર સાધો છો ? શા માટે રાત્રિએ સ્મશાનમાં જાઓ છો ? શા માટે તમે દેવની સેવા કરો છો ? શા માટે આકડો અને ધતુરો ખાઓ છો? સંચમાત્ર અસાર ધનને માટે શા માટે બીજાના નોકર થાઓ છો ? હે માનવ ! શા માટે પરની-બીજાની આશા કરીએ ? આશારહિત થઈને આશાનો ત્યાગ કરીએ. નિરંજન પરમાત્માનું ધ્યાન કરો. ૨૪