SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સવૈયા-સાર્થ પંચક બીજ ધરામાંહિ બોવત, તાકો અનેક ગુણો ફીર પાવે; કાલ વસંતકું જાચક જાનકે, પાને દિયે તિનકું નવ આવે. જાણ અનિત સભાવ વિવેકશું, સંપત પાય સુમારગ લાવે; કરતિ હોગી ઉનોંકી દશ દિશ, બેઠ સભામે દાતાર કહાવે. ૨૦ માટીકા ભાંડ હોવે શતખંડ જ્યુ, લાગત જાસ જરા ઠણકા; ઈમ જાણ અપાવન રૂપ અરે નર, નેહ કહા કરીએ તનકા? નિજ કારજ સિદ્ધિ ન હોય કછુ, પર રંજન શોભ કરે ગણકા; ચિદાનંદ કહા જપમાલકું ફેરત, ફેર અરે મનકે મણકા. ૨૧ જ્ઞાનાવિકા ઉદ્યોત ભયા તવ, દૂર ગયા ભ્રમ-ભાવ અંધેરા; આપ સ્વરૂપકું આપ નિહારત, જૂઠ સ્વરૂપ લિખ્યા જગકેરા. જે (રંચક-) નાના સરખા બીજને પૃથ્વીમાં વાવે છે, તેનું તે અનેકગણું ફરીથી પામે છે, વસંતઋતુને યાચક જાણીને (વૃક્ષો) પાન આપે છે, તો તેથી તે વૃક્ષોને નવાં પાન આવે છે. વિવેકપૂર્વક પદાર્થોનો અનિત્ય સ્વભાવ જાણીને જે સંપત્તિ પામીને ઉત્તમ માર્ગમાં વાપરે છે-ખર્ચે છે, તેઓની કીર્તિ દશે દિશામાં ફેલાય છે. સભામાં બેસીને તે દાતાર કહેવાય છે. ૨૦ | માટીના વાસણને જેમ ઠોકર વાગવાથી સો કટકા થઈ જાય છે, તેવી રીતે તે મનુષ્ય ! આ શરીરના રૂપને તું અપવિત્ર જાણ. તેવા શરીરનો સ્નેહ શા માટે કરીએ ? તેનાથી પોતાના કાર્યની કોઈ સિદ્ધિ થતી નથી. વેશ્યા સ્ત્રી બીજાને ખુશ કરવા માટે શરીરની શોભા કરે છે. તે ચિદાનંદ ! તું શા માટે જપમાળાને ફેરવે છે, તું મનના મણકાને ફેરવ. ૨૧ જયારે જ્ઞાનરૂપી સૂર્યનો ઉદ્યોત થયો ત્યારે મિથ્યાભાવરૂપી અંધકાર દૂર થયો. જયારે આત્મા પોતાના સ્વરૂપને જોવે છે ત્યારે જગતના ખોટા સ્વરૂપને ઓળખે છે. માયાને તોડીને
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy