SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સંપત્તિથી યુક્ત લોકોની વચ્ચે તેઓ નિઃસ્પૃહ તથા નિર્લેપ રહ્યા છે. પ્રભુસ્પર્શી એવા એમના જીવનની પ્રત્યેક ક્રિયામાં ધર્મની છાયાનો અનુભવ થાય છે. ડૉ. કુમારપાળભાઈનું તત્ત્વચિંતન તથા પ્રબળ વૈચારિતાના સહારે તેઓએ ધર્મનાં તથા આદર્શ જીવનનાં રહસ્યો ઉદ્ઘાટિત કર્યાં અને તેને મૌલિક જીવનદૃષ્ટિ પ્રદાન કરી છે. તત્ત્વમંથન અને ઊંડી વિચારશીલ મનોવૃત્તિ ધરાવતા ડૉ. કુમારપાળભાઈ વિષયના ગૂઢાર્થને સરળ શબ્દોમાં સમજાવી તથા લખી શકે છે. અલગ અલગ દૃષ્ટિકોણને લક્ષમાં રાખી તેઓના અર્થગંભીર શબ્દો ધારેલા વિષયને સર્વાંગી સ્વરૂપે ઓળખાવે છે. સંવેદનશીલ ડૉ. કુમારપાળભાઈનાં લખાણોમાં વર્તમાન સમાજની સમસ્યાઓ તથા તેનો ઉકેલ પ્રાપ્ત થાય છે. ડૉ. કુમારપાળભાઈએ પોતાના જીવનમાં ઉદ્યમ, સાહસ, ધેર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમનો સુભગ સમન્વય સાધ્યો છે. કમળને કાદવ સાથે ફરિયાદ નથી. ગુલાબ કાંટાઓની શિકાયત કરતું નથી તેમ પ્રતિકૂળ સંજોગો વચ્ચે સતત સ્મિત વેરતા ડૉ. કુમારપાળભાઈએ અથાગ પરિશ્રમ અને સાધનાબળે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓએ પોતાનાં માતા-પિતાનું, કુળવંશનું, સમગ્ર જૈન સમાજ તથા રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. એમનું સુખી, સમતામય, સંતોષપૂર્ણ જીવન અને કવન અનેકને પ્રેરણા આપતું રહો એ જ અભ્યર્થના. શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલાના માર્ગદર્શક 155 નલિનભાઈ કોઠારી (ભાઈશ્રી)
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy