SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ uથના ઇશારાથી પોતાનું પેટ બતાવી રહ્યો હતો. આ જોઈને ફાતિમા તરત દોડી, એ ભૂખ્યાનો હાથ પકડીને ઘરમાં લઈ આવીને બેસાડ્યો અને પોતાના હાથે તેના મોંમાં કોળિયા આપવા લાગી. ઘરમાં હતું તેટલું બધું ભોજન ખવડાવી દીધું. અંધ ભિખારી અંતરના આશીર્વાદ આપતો વિદાય થયો. તે દિવસે બંને ભૂખ્યાં રહ્યાં અને બીજા દિવસે એમના પેટમાં અન ગયું. સાહજિક ધર્મપાલન આ છે સહજ, સ્વાભાવિક ધર્માચરણનું ઉદાહરણ. ધર્મનું સાહજિક્તાથી પાલન કરનાર વ્યક્તિ દંભ કે આડંબર કરશે નહીં. ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાના ધર્મથી ડગવાનો વિચાર નહીં કરે. આનાથી વિપરીત રીતે ધન અને સુખ-સુવિધાની ગુલામ વ્યક્તિ વખત આવ્યે ધર્મને ત્યજી દે છે. આવી વ્યક્તિ ધર્મની ગમે તેટલી વ્યાખ્યા આપી શકતી હોય, ગમે તેટલાં શાસ્ત્રો તેણે કંઠસ્થ કર્યા હોય અથવા તો શાસ્ત્રનું અધ્યયન કરતી હોય, પણ તે ધર્મપાલક કહેવાતી નથી. સૌરાષ્ટ્રના નાનકડા ગામની ઘટના છે. ત્રીસ વર્ષની એક હરિજન બહેન પાણી ભરવા કૂવા પર ગઈ. માટલી ભરીને તેણે ઘડો ભરવા માટે જેવું દોરડું કૂવામાં નાખ્યું કે તેનો પગ દોરડામાં ફસાઈ ગયો. કૂવાના કાંઠા પર કઠેડો બાંધ્યો નહોતો, તેથી એકદમ એનો પગ લપસ્યો અને પેલી સ્ત્રી કૂવામાં પડી. સાંજનો સમય હોવાથી કૂવા પર પનિહારીઓ અને ઢોરોને પાણી પિવડાવવા આવનારા પુરુષોની સંખ્યા ઘણી હતી. કૂવામાં હરિજન સ્ત્રી પડી ગયાની વાત સાંભળીને આસપાસના લોકો દોડતાં આવ્યાં. કૂવાની આસપાસ મોટી ભીડ જામી ગઈ. કૂવામાં પડેલી બહેન “બચાવો, બચાવો'ની બૂમો પાડતી હતી, પરંતુ આગંતુક લોકોએ માત્ર એટલી જ પૂછપરછ કરી, “કેમ પડી ? કેવી રીતે પડી ?” પરંતુ ડૂબતી બહેનને બચાવવા માટે કૂવામાં ઊતરવાનો કે બચાવવાનો પ્રયાસ ઊભેલા લોકોમાંથી કોઈએ કર્યો નહીં. કોઈએ એ બહેનના પતિને ખબર આપી, તો એ બિચારો દોડતો-દોડતો આવ્યો. પોતાની પત્નીને બચાવવા પહેલાં તો એણે કૂવામાં ભૂસકો મારવાનું વિચાર્યું, પરંતુ કૂવામાં નજર નાખતાં તેની ઊંડાઈ જોઈને તે નાહિંમત . ધર્મનું સાચું સ્વરૂપ ૨૩૧ :
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy