________________
ફાતિમાબીબી હજરત મહમ્મદ પયગંબરની પુત્રી હતી અને હજરત અલીની પત્ની હતી. અલી પાસે કશી માલ-મિલક્ત નહોતી. અને મહેનત-મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક વાર કેટલાય દિવસ સુધી હજરત અલીને મજૂરીનું કામ મળ્યું નહીં. ઘરમાં ખાવાનાં ફાંફાં પડ્યાં અને દિવસો સુધી પતિ-પત્ની ભૂખ્યાં રહ્યાં. આમ છતાં અલી ગભરાયા નહીં. ફાતિમાએ પણ વૈર્ય ન છોડ્યું. એક દિવસ ફાતિમા નમાજ પઢવા બેઠી, ત્યાં જ એક વૃદ્ધા અનાજનું પોટલું લઈને આવી. તે બોલી,
ફાતિમા ! આ લે થોડું અનાજ, ભોજન બનાવી લે.”
ફાતિમાએ કહ્યું, “માજી, તમારી સહાય માટે આભાર, પરંતુ મહેનત વગરનું અનાજ ખાવું એ ધર્મ નથી, વળી એ પયગંબર સાહેબના કુળ માટે પણ એ શરમજનક કહેવાય, તેથી આ અનાજને અમે સ્વીકારી શકીશું નહીં.”
એટલામાં એક બીજી મહિલા ત્યાં આવી. તેણે કહ્યું,
ફાતિમા ! મક્કામાં તો અનાજના કોઠાર ભરેલા છે. એના માલિક તો તારા પિતા છે, પછી તમે ભૂખનું દુઃખ કેમ સહન કરો છો ?”
ફાતિમાએ જવાબ આપ્યો, “બહેન ! મક્કામાં લાખો વિધવાઓ, અનાથ બાળકો, વિકલાંગ અને નિરાધાર રહે છે તેમને માટે તે અનાજનો ભંડાર છે. પયગંબર સાહેબ તેના માલિક નથી, તે તો માત્ર એના રક્ષક છે, એથી ફાતિમા કે અલીનો કોઈ હક્ક તેના પર નથી.”
સ્ત્રીઓ ફાતિમાની વાત સાંભળીને ગદ્ગદ થઈ ગઈ. એટલામાં અલી એક પોટલી લઈને આવ્યા, એમાં એક ટંકનું ભોજન થાય તેટલું અનાજ હતું. પોટલી ફાતિમાને સોંપીને તે નમાજ પઢવા લાગ્યા.
ફાતિમાએ જવ દળીને રોટલી બનાવી. પતિ-પત્ની ભોજન કરવાની તૈયારીમાં હતાં કે ફાતિમાની નજર દરવાજા પર ઊભેલી એક અંધ વ્યક્તિ પર પડી. એના પેટમાં ભૂખના માર્યા ખાડો પડી ગયો હતો. એ જોઈને ફાતિમાએ કહ્યું,
અલીસાહેબ, થોડી વાર ખાવા માટે ધીરજ ધરો.” અલી સાહેબે પણ જોયું કે એ અંધમાં બોલવાના પણ હોશ નહોતા. ૨૩૦
રત્નત્રયીનાં અજવાળાં છે