________________
કડી ૮ થી ૧૪ા દુષ્કૃત ગહ દુરિત સવિ આપણા નિંદીયે, -
જેમ હોય સંવર વૃદ્ધિ રે.... ઈહ ભવ પરભવ આચર્યા,
પાપ અધિકરણ મિથ્યાત રે; જે જિનાશાતનાદિક ઘણા,
નિન્દીયે તેહ ગુણઘાત રે..... ગુરુ તણાં વચન તે અવગણી,
ગૂથિયાં આપ મત જાળ રે; બહુ પરે લોકને ભોળવ્યા,
નિંદીયે તેહ જંજાળ રે... જેહ હિંસા કરી આકરી,
જેહ બોલ્યા મૃષાવાદ રે, જેહ પરધન હરી હરખિયા,
કિલો કામ ઉન્માદ રે..... જેહ ધનધાન્ય મૂચ્છ કરી,
સેવિયા ચાર કષાય રે, રાગને દ્વેષને વશ હુઆ,
જે કિયો કલહ ઉપાય રે.... જૂઠ જે આળ પર દીયા,
જે કર્યા પિશુનતા પાપ રે; રતિ અરતિ નિંદ માયા મૃષા,
વળીય મિથ્યાત્વ સંતાપ રે.... પાપ જે એહવા સેવિયા,
તેહ નિંદીયે તિહું કાળ રે... સાધક પોતાનાં પાપોની નિન્દા કરે છે. બહુ માર્મિક પંક્તિઓ છે આ દુષ્કતગહની. સાધક એ કડીઓ રટતો જાય છે ને રડતો જાય છે. આંસુજળથી ભીના મુખકમલથી ઉચ્ચારાતી આ કડીઓ ઘસમસતા આવી