________________
રહેલા કર્મના પૂરને ખાળવા માટે સમર્થ છે.
તીર્થંકર પરમાત્માની અને ગુરુદેવની અશાતનાથી લઈને હિંસા આદિ અઢાર પાપસ્થાનકો પૈકીના કોઈ પણ પાપને પોતે આચર્યું હોય તો તેને સાધક નિદે છે.
કડી ૧૪ થી ૨૩ઃ સુકૃત અનુમોદના સુકૃત અનુમોદના કીજિયે,
જિમ હોય કર્મ વિસરાલ રે.... વિશ્વ ઉપકાર જે જિન કરે,
સાર જિન નામ સંયોગ રે; તે ગુણ તાસ અનુમોદિયે,
પુણ્ય અનુબંધ શુભ યોગ રે.... સિદ્ધની સિદ્ધતા કર્મના,
ક્ષય થકી ઉપની જેહરે; જેઠ આચાર આચાર્યનો,
ચરણ વન સીંચવા મેહરે... જેહ ઉવજઝાયનો ગુણ ભલો,
સૂત્ર સક્ઝાય પરિણામ રે; સાધુના જે વળી સાધુતા,
મૂળ ઉત્તર ગુણધામ રે... જેહ વિરતિ દેશ શ્રાવક તણી,
જે સમકિત સદાચાર રે; સમકિત દષ્ટિ સુર નર તણો,
તેહ અનુમોદિયે સાર રે... અન્યમાં પણ દયાદિક ગુણો,
જેહ જિનવચન અનુસાર રે, સર્વતે ચિત્ત અનુમોદીએ,
સમક્તિ બીજ નિરધાર રે.... પાપ નવિ તીવ્ર ભાવે કરે,
--જેહને નવિ ભવ રાગ રે,