SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાયજીની શામાં સેવા ] આ. શ્રી જબ્બવિજયજી મ. ઉપાધ્યાયજી એટલે કુમિકાપણ જૈન શાસનરૂપી મહાસાગરમાં જે અત્યંત તેજસ્વી નરરત્નો પ્રગટ થયાં છે, તેમાં પૂજ્યપાદ વાચકવર્ય ભગવાન શ્રી યશોવિજયજી મહારાજનું સ્થાન ઘણા ઊંચા દરજ્જામાં આવે છે. જોકે જગતે આજ સુધી ઘણા સમર્થ વિદ્વાનો જોયા છે, પરંતુ ઉપાધ્યાયજી જેવા મહાપુરુષો તો તેમાંથી વિરલ જ મળી આવશે. કોઈ વિદ્વાનોનું સાહિત્ય વિદ્વાનોને જ અધિકાંશે ઉપયોગી હોય છે. જ્યારે કોઈનું સાહિત્ય સામાન્ય જનતાને જ અધિકાંશે ઉપયોગી હોય છે. પરંતુ આ મહાપુરુષની વિશિષ્ટતા એ છે કે તેમનું સાહિત્ય સર્વવિષયવ્યાપક અને સર્વજનોપયોગી છે. તેમનું શાન સર્વ વિષયોમાં અગાધ હતું અને તેમણે એટલા બધા વિષયો ઉપર સાહિત્યસર્જન કર્યું છે કે તેમના સમકાલીન વિદ્વાનો પણ તેમને “ઋતકેવલી”ની ઉપમા આપતા હતા, તેમ જ તેમને સૂછશRા એટલે દાઢી-મૂછવાળી સરસ્વતીદેવીરૂપે વર્ણવતા હતા. તેમણે કયા કયા વિષયો ઉપર લખ્યું છે એ કહેવા કરતાં કયા કયા વિષયો ઉપર નથી લખ્યું એ કહેવું વધારે ઉચિત ગણાય. તેમને ભૂતકાળના કુત્રિકાપણની ઉપમા આપી શકાય. જેમ દેવાધિતિ કુત્રિકાપણમાં જે વસ્તુ માગવામાં આવે તે બધી વસ્તુ મળી શકે તેમ આ મહાપુરુષના સર્જનમાંથી પણ આપણને દરેક પ્રકારનું સાહિત્ય મળી શકે છે. જેમકે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રાચીન ગ્રંથો ઉપર ટીકાઓ, અષ્ટક વગેરે સ્વતંત્ર પ્રકરણ ગ્રંથો અનેકાંત અને નય વિષયના અનેક ન્યાયગ્રંથો, ગુજરાતી તથા હિંદી ભાષામાં સ્તવનો, સઝાયો, રાસાઓ વગેરે વગેરે ઘણું સાહિત્ય તેમણે રચ્યું છે કે, જે ખાસ વિશિષ્ટ પ્રકાશ - - મોબાતી n ૩૦ )
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy