SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ પ્રાર્થના કરે છે કે જિનપ્રભુ તેમના હૃદયમાં વસે. તેમના હૃદયની ભક્તિ અને તેમાંની તદાકારતા ટકી રહે-આમ થાય ત્યારે તેના થકી સાંસારિકતાની પૂર્ણ નિરર્થકતાનો અનુભવ તેઓ કરે છે અને શુદ્ધ નિષ્ઠા સાથે ભવેભવ જિનપ્રભુની સેવા વાંછે છે. તેઓ નમ્રભાવે કહે છે : ‘‘મુજ હોજો. ચિત્ત શુભ ભાવથી ભવભવ તારી સેવ રે! યાચિએ કોડી યતને કરી એહ તુજ આગલે દેવ રે!'' અને છેવટે હરિગીત છંદમાં સમગ્ર સ્તવનનો કલશ આ રીતે આપે છે – " ઈમ સકલ સુખકર, દુરિત ભયહર, વિમલ લક્ષણ ગુણ ધરો, પ્રભુ અજર અમર નરિંદ વંદિત વિનવ્યો સીમંધરો. નિજ નાદ તર્જિત મેઘ ગર્જિત, ધૈર્ય નિર્જિત મંદરો; શ્રી નયવિજય બુધ ચરણ સેવક, જશવિજય બુધ જય કરો.’’ કેવલ, તત્ત્વજ્ઞાન, સૂક્ષ્મ આચાર ચિન્તન, ગૌરવમાર્ગી જ્ઞાન અને ઉચ્ચ સાધનાનો માર્ગ સીમંધરસ્વામીના પ્રશ્નોના જવાબમાં યશોવિજયજી બતાવે છે, ત્યારે ખરેખર તો તેઓ જગતના ઉત્થાનોત્સુક માનવને મોક્ષના સાચા માર્ગે દોરી જાય છે. આ સ્તવનની આ જ છે અનેરી વિશ્વવ્યાપિતા. વિસ્તરી ન ૨૯
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy