SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પાડનારું, અર્થગંભીર અને વિદ્વત્તાપૂર્ણ છે અને જેને વાંચતાં જ્ઞાનપ્રેમી કોઈ પણ વિદ્વાનનું મસ્તક નમ્યા સિવાય રહે નહિ. દાર્શનિક વિષયોના પારણા દાર્શનિકવિષયનાતો તેઓ પારદ્રષ્ટા જ હતા. તેથી તે વિષય ઉપર જ્યારે તેઓ લખવા બેસે છે. ત્યારે તેમની તે વિષયમાં પારંગતતા અને સર્વતત્ર-સ્વતંત્રતા અપૂર્વ રીતે ઝળકી ઊઠે છે. તેમણે કરેલાં સૂક્ષ્મતમ દાર્શનિક નિરૂપણોમાંન્યાયના પ્રકાંડવિદ્વાનોનો પણ ઘણી વારચંચપ્રવેશ પણ થવા પામતો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે કાશી જેવી સરસ્વતીની નગરીમાં પણ તેમણે માત્ર ત્રણ જ વર્ષ સુધી અભ્યાસ કરીને પણ પરવાદીઓની પર્ષદામાં વિજય મેળવ્યો અને તેથી જ કાશીના જબ્રાહ્મણ વિદ્વાનોના મંડળે તેમના જ્ઞાનથી અત્યંત મુગ્ધ થઈને તેમને ચાવિશારદ બિરુદ આપ્યું એ કંઈ ઓછું આશ્ચર્ય ગણાય નહીં. નન્યાયને જૈનન્યાયમાં ઉતારવાનું લગભગ અશક્ય કાર્ય તો તેમણે જ શક્ય બનાવ્યું અને એ કાર્ય એકલે હાથે પાર પાડીને જૈનદર્શનશાસ્ત્રના ઇતિહાસમાં તેમણે અમર સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. નવીન પદ્ધતિથી પ્રકાશનઅધ્યયનની નજર - નન્યાયના અને ઉપાધ્યાયજી મહારાજે રચેલા ન્યાયના ગ્રંથોના અભ્યાસીઓને આ સ્થળે મારી એક સૂચના છે કે હમણાં નબન્યાયનાં વ્યાતિપંચક, સિંહવ્યાઘલક્ષણ, સિદ્ધાન્તલક્ષણ વગેરે વગેરે જે પ્રકરણોનું અધ્યયન કરવામાં આવે છે તે ખાસ કરીને ગંગેશ ઉપાધ્યાયવિરચિત તત્ત્વચિંતામણિ ગ્રંથના અનુમાન ખંડના જ ભાગો છે. કાશી અને કલકત્તા આદિની વિદ્યાપીઠોએ આ જ ભાગોને પરીક્ષામાં નિર્ધારિત કરેલા હોવાથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ એનું જ અધ્યયન કરે છે અને પછી અધ્યાપન પણ એનું જ કરાવે છે. આ ભાગોમાં ભરેલી વાછિન મય જટિલ ચર્ચાઓ ભલે બુદ્ધિને સૂક્ષ્મ બનાવતી હોય પણ તેમાં પદાર્થનિરૂપણ નહીં વત્ છે એટલે તેનો ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોમાં સીધો ઉપયોગ ભાગ્યે જ થાય છે. ઉપાધ્યાયજી મહારાજના ન્યાયવિષયક ગ્રંથોનું વિશદ જ્ઞાન સરલતાથી પ્રાપ્ત કરવું હોય તો તેમણે જે જે સાહિત્યને નજરમાં રાખીને પોતાનું ન્યાયવિષયક સાહિત્ય સર્યું છે તે સાહિત્યને આપણે શોધી કાઢીને સન્મુખ રાખવું જોઈએ. તત્ત્વચિંતામણિના અનુમાનખંડ સિવાય બીજા ખંડોમાં પદાર્થનિરૂપણ અધિક માંસનાતો છે ૩૧
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy