SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અજિતનાથ જિનસ્તવનમાં ભગવાન (અજિતનાથ) સાથે પ્રીત છે. અને બીજાનો સંગ જચતો નથી એના સમર્થનમાં સરસ કહે છે: માલતી ફલે મોહિયો, કિમ બેસે હો બાવળ ત૨ ભંગ કે . ગંગાજળમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાળ કે સરોવરજળ જલધર વિના, નવિ ચાહો હો જગ ચાતકબાળ કે; કોકિલ કલકૂજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; આછાં તરુવર નવિ ગમે, ગિરૂઆશું હો હો) ગુણનો પ્યાર કે; કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ઘરે ચંદ્રશું પ્રીત ગૌરી ગિરીશ ગિરિધર વિના નવિ ચહે હો કમળા નિજ ચિત્ત કે; વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસથી શોભિતી આ રચના કવિહૃદયના ઉત્કટ ભાવોની દ્યોતક છે. શ્રીઅભિનંદન સ્વામીના સ્તવનમાં ભગવાનની મૂર્તિ દીઠી અને જે ભાવ જાગ્યા એનું સાદ્રશ્ય આલેખન છે. વિચારોની શુદ્ધિ અને કવિત્વની ઉત્કટતાથી સિંચાયેલી આ કૃતિ છે. એમની કલમ દ્વારા થતી ભાવ-નિષ્પત્તિ આવી છે: સુરમણિ હો પ્રભુ સુરમણિ પામ્યો હä. આંગણે હો મુજ આંગણે મુજ સુરતરુ ફળ્યો જી જાગ્યા હો પ્રભુ જાગ્યા પુણ્ય અંકુર માગ્યા હો પ્રભુ! મુહ માગ્યા પાસાં ઢલ્યા જી. ભૂખ્યા હો પ્રભુ!ભૂખ્યા મળ્યા ધૃતપૂર, તરસ્યા હો પ્રભુ! તરસ્યા દિવ્ય ઉદક મળ્યા છે થાક્યા હો પ્રભુ! થાક્યા મિલ્યા સુખપાલ, ચાહતા હો પ્રભુ! ચાહતા સજ્જન હેજે હળ્યા છે અનુભૂતિની ઉત્કટ અવસ્થાએ જ આવી રસાળ-રસાદ્ધ કાવ્યરચના થાય. ! ઉપાધ્યાયકૃત શ્રીપદ્મપ્રભુસ્વામીનું સ્તવન અને દેવચંદ્રજીનું ઋષભ જિન T સ્તવન ને મો 9 ૧૦૦ .
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy