SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ દરિશણ દરિશણ રટતો જો ફિરું તો રણરોંગ સમાન જેહને પિપાસા હો અમૃત-પાનની કિમ ભાજે વિષપાન અભિનંદન જિન દરિશાણ તરસીએ. કેટલીક વારસાવસરળ લાગતી બાબત શબ્દોથી, વાણીના અર્થથી સમજાવી શકાતી નથી, તેમ કેટલીકવારગહન લાગતી બાબતોને પણ શબ્દદેહ આપી શકાતો નથી. પ્રેમની, ઉત્કટ પ્રેમની અને ભાવોલ્લાસની અભિવ્યક્તિ અંગે પણ આવું કહી શકાય. એની અનુભૂતિ માણી શકાય. એ અનુભવ-ગોચર છે. હૃદયના સંકુલ ભાવોની છબિ શબ્દની ફ્રેમમાં મઢી શકાય કે કેમ એની શંકા રહે છે. ઉપાધ્યાય યશોવિજયજીએવી અનુભૂતિને શબ્દદેહ આપવામાં સફળ રહ્યા છે, જેમકે, સુમતિનાથ ગુણશ્ય મિલીજી વાધે મુજ મન પ્રીતિ ગુણગ્રાહક દષ્ટિથી ભગવાન તરફ પ્રીતિ તો વધતી જ રહે એનો અવિહડ રંગ કેવો લાગ્યો છે એ માટે રોજિંદા જીવનમાંથી સ્વાભાવિક દષ્ટાંતો એક પછી એક આવે છે. પરિમલ કસ્તૂરી તણો, આંગળીએ મેરુ, છાબડીએ રવિતેજ, નાગરવેલના પાનથી લાલ થયેલા ઓષ્ઠ જેમ છૂપા ન રહે તેમ ભગવદ્-પ્રીતિ પણ છાની ન રહે એવી દષ્ટાંતસભર પંક્તિઓ એક પછી એક આવે છે. શ્રી અનંતનાથજીના સ્તવનમાં એમણે એ રંગને “ચોળ મજીઠનો રંગ' કહ્યો છે. ઉપાધ્યાય યશોવિજયજીની એક વિશિષ્ટતા છે. સ્તવનના પ્રારંભમાં ભાવની એક છટા લે. ત્યાર બાદ એને અનુરૂપ દચંતસુભગ કલ્પના તેઓ દોડાવે. એક પછી એક કડીમાં પ્રતીતિજનક અને અનુભૂતિજન્ય દષ્ટાંતો આપી એ ભાવને પુષ્ટ કરે. એમાં આટલાં બધાં સ્તવનોમાં ક્યાંય પુનરુક્તિ થતી જણાતી નથી એથી એમનાં કાવ્યોમાં તાજગી અને નાવીન્ય જણાય છે. થોડાંક ઉદાહરણો જોઈએ. 28ષભ જિન સ્તવનમાં તેઓ કહે છે: કવણ નર કનક મણિ, છોડી તૃણ સંગ્રહ કવણ કુંજર તજી કરહ લેતે? કવણ બેસે તજી કલ્પતરુ બાઉલે તુજ તજી અવર સુરકોણ સેવે? યોભારતી n \૦૦ છે
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy