SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ રચ્યાં છે... પુદ્ગલ દ્રવ્યની દરકાર રાખવામાં આવે તે પણ તે જ્યારે ત્યારે ચાર્યું જવાનું છે, અને જે પિતાનું નથી તે પિતાનું થવાનું નથી, માટે લાચાર થઈ દીન બનવું તે શા કામનું? - સમસ્ત સંસારી જીવે કર્મવશાત્ શાતા-અશાતાને ઉદય અનુભ વ્યાજ કરે છે. જેમાં મુખ્યપણે તે અશાતાનેજ ઉદય અનુભવાય છે. કવચિત્ અથવા કેઈક દેહ સંયોગમાં શાતાને ઉદય અધિક અનુભવાતે જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યાજ કરતા હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભેગવી છે, અને જે હજ તેનાં કારણેને નાશ કરવામાં ન આવે તે ભેગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાનું ઉત્તમ પુરૂષો તે અંતરદાહરૂપ શાતા અને બાહ્યાત્યંતર સંકલેશ અગ્નિરૂપે પ્રજવલિત એવી અશાતાને આત્યંતિક વિગ કરવાને માર્ગ ગષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયેગ્યપણે આરાધી અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા. શાતા અશાતાને ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણેને ગવેષતા એવા તે મહત્ પુરૂષને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાને ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતે. કેટલાક કારણ વિશેષને મેગે વ્યવહાર દષ્ટિથી ગ્રહણ કરવા 5 ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા. - ઉપયોગ લક્ષણે સનાતન સંકુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કામણ શરીરથી પણ ભિન્ન અવલકવાની દષ્ટિ સાધ્ય કરી, તે મૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળ હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાને નથી
SR No.032181
Book TitlePragnavbodhnu Shailee Swarup
Original Sutra AuthorN/A
AuthorSubodhak Pustakshala Trust Mandal
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1992
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy