________________
શિR
S સત્સંગ-સંજીવની
SS,
જીવ સરળ છે. માર્ગને પામવાની જિજ્ઞાસા વિશેષ રહ્યા કરે છે. તેના લીધે સત્પષની કામના વિશેષ રહે છે. ઘણો વખત સમાગમ યોગ ચાલે છે. તેથી હાલ બેત્રણ દિવસ થયાં કર્મ ગ્રંથ વિચારવાનું બંધ રહ્યું છે. રાત્રીના દશ પંદર ભાઇઓનો સમાગમ થાય છે. હવે તો બધાની ઇચ્છા સત્સમાગમનો લાભ પામવાની રહ્યા કરે છે. અને તે લાભ પમાડવા આ બાળકો ઉપર આપ પરમ પ્રભુશ્રીની દયા થશે તે દિવસે પરમકલ્યાણકારી આનંદ પ્રાપ્ત થશે. હાલ એજ.
અલ્પજ્ઞ પામર દીનદાસ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર. (જવાબ વ. ૭૭૫)
ચૈત્ર વદ ૮, રવિ, ૧૯૫૩ પરમ કૃપાળુ, દેવાધિદેવ, પરમ દયાવંત, પરમ પૂજ્ય સર્વજ્ઞ પ્રભુશ્રીની પરમ પવિત્ર શુભ સેવામાં - ત્રિકાળ
નમસ્કાર,
- પરમ કૃપાનુગ્રહથી પરમ પવિત્ર શુભ પત્ર (વ. ૭૭૫) પ્રાપ્ત થયો છે. તે વાંચી પરમ કલ્યાણકારી આનંદ થયો છે. | મુનિશ્રી દેવકરણજી હાલમાં સુત્રકતાંગ વાંચે છે ને સત્સમાગમ યોગ ચાલે છે. અને પ્રસંગે પ્રસંગે ચિત્ત સ્થિરતાએ પરમોત્કૃષ્ટ ઉપદેશ પત્રો વંચાય છે. જે વાંચવાથી નવીન લાગ્યા કરે છે. અપૂર્વ રસ પ્રાપ્ત થાય છે. અને ફરી ફરીને નવું સમજાય છે. તેથી એ ઉપદેશ પત્રો ફરી ફરી વાંચવામાં પ્રેમ વિશેષ રહે છે. પર આઠ કર્મ સંબંધી વ્યાખ્યા ચર્ચાય છે. જેમ જેમ વિશેષ ચર્ચાય છે, તેમ તેમ વિશેષ સમજાય છે. પ્રથમ કર્મગ્રંથ વાંચી ગયેલ, તે પાછો ફરીથી વિચારતાં કંઇક વિશેષપણે સમજાય છે અને વિશેષ વિચારે એક સત્સંગ સત્યરુષના ચરણ સમીપમાં રહેવું અને તેજ આશ્રય કરવો તેના વિના બીજો એકે સુગમ ઉપાય મારી અલ્પજ્ઞ દષ્ટિથી લાગતો નથી. એટલે જેટલે અંશે સદ્ગુરુનું માહાસ્ય સમજાય અને સશુરુપ્રત્યે આશ્રય ભક્તિ દઢ થાય, તેટલે તેટલે અંશે જ્ઞાનાવર્ણાદિ કર્મનું ટળવાપણું થઇ આત્માનું નિરાવરણપણું પ્રાપ્ત થાય. સર્વ પ્રકારે સદ્ગરનું માહાભ્ય, દશા અને આત્મસ્થિતિ સમજાય, સરુની આશ્રયભક્તિ ઉત્પન્ન થાય તો સર્વ પ્રકારે આત્માનું નિરાવરણપણું પ્રાપ્ત થાય. એવો ભક્તિ માર્ગ આજે કંઇ અપૂર્વપણે સમજાય છે. જે લખતાં બહુ પ્રકારે વિચાર ઉત્પન્ન થાય છે. પણ અલ્પજ્ઞ દષ્ટિએ મારાથી ન્યૂનાધિક સમજાઈ ગયું હોય કે લખાઈ ગયું હોય તે માટે પુનઃ પુનઃ ક્ષમા ઇચ્છું છું. દાદા
એવો એક ભક્તિ માર્ગ આપ પરમ કૃપાળુ પ્રભુશ્રીએ પરમ દયા કરી મુમુક્ષુ જીવોના હિતને અર્થે ઉપદેશ્યો છે. તો હવે સાથે રહેવા દેવામાં પ્રભુની પરમકૃપા થવામાં શું અડચણ હશે ? મોટામાં મોટી અડચણ તો મારી જ છે કે તે આશ્રય ભક્તિ ઉત્પન્ન થવામાં બાધ કરનાર એવા પાંચ વિષયાદિ દોષોથી વિરક્તપણું થયું નથી. ત્યાં મારા પ્રત્યે પ્રભુની પરમ કૃપા ક્યાંથી પ્રાપ્ત થાય. પ્રભુની તો પરમ કૃપા છે, પણ મારા દોષ આગળ તે કૃપા ફળીભૂત થતી નથી. જે દોષો વિયોગમાં અત્યંત પુરૂષાર્થ કરી આત્મજાગૃતિથી ટાળવા જોઇએ, તે પુરૂષાર્થ થઇ શકતો નથી અને તેમાં કાળ ચાલ્યો જાય છે. કે જેથી એ જ મારું પૂર્વનું અનઆરાધકપણું મને સિદ્ધ કરી આપે છે. કોઇપણ પ્રકારે અવિનયાદિ દોષ કોઇપણ યોગથી થયો હોય તો પુનઃ પુનઃ ક્ષમાપના ઇચ્છું છું.
૩૬