________________
દિ05 | SENSE) સત્સંગ-સંજીવની હCORERS SMS ()
થયો છે. પરમ પૂજ્ય માતુશ્રીની શારીરિક સ્થિતિ વચમાં વધારે અશક્ત હોવાથી દિલગીરી થઇ. હવે શાંતિ છે એવા ખબર મળવાથી સંતુષ્ટ થયો છું. પરમ પૂજ્ય માતુશ્રીને આ છોરૂ નમસ્કાર કરી સુખશાતાના ખબર પૂછે છે. માતુશ્રીના શરીરની પ્રકૃતિ તેમજ રોગના કારણો જો જણાવવામાં આવે તો તે અનુકૂળ પ્રમાણે અત્રેથી દવા મોકલવાનું સગવડ ટપાલ દ્વારા થઇ શકશે.
મુનિશ્રી લલ્લુજી આદિ ઠાણા ૫ અત્રેથી વદ ૨ વિહાર કરી ફેણાવ પધાર્યા છે. તે સહજ વિદિત થવા કૃપાળુનાથની સેવામાં જણાવ્યું છે. , અત્રે સત્સમાગમમાં પ્રેમચંદભાઇ ફુલચંદ, છોટાલાલ વર્ધમાન, સૂરચંદ, મલકચંદ વિગેરે આવે છે. રાતના સાતથી દસેક વાગતા સુધી સમાગમ રહે છે. હરજીવનદાસ પણ આવે છે. તે સહેજ વિદિત થવા લખેલ છે.
હાલ સમાગમમાં આવેલા પાટીદારો કે જે રાત્રી ભોજનનો ત્યાગ કરવા જણાવતા હતા તે લોકોને દર્શનની ઇચ્છા વિશેષ રહે છે. અને તે લોકોનું કહેવું એવું છે કે અમે દર્શનની પરમ ઇચ્છા હોવાથી બીજા ગામે જવાનું બંધ રાખી તે ઇચ્છામાં રોકાયા છીએ. માટે કૃપાળુનાથશ્રીનું પધારવું થયે અમને જરૂર ખબર મળે તેવું કરજો. તો અમે ગમે તેવું કામ હશે તો પણ મૂકીને જરૂર આવશું. - આજે ટપાલ મારફતે પૂ. શ્રી માણેકલાલભાઇ તરફથી આવેલા કુલ પાના ૧૮ બુકપોસ્ટ કરી પરમકૃપાળુની સેવામાં રવાના કર્યા છે. તેની પહોંચ મળવાની ઇચ્છા રહે છે. વિચારવાને માટે તે પત્રોનો ઉતારો કરવાનો હોવાથી મોકલવામાં વિલંબ થયો છે. તે માટે પુનઃ પુનઃ ક્ષમા ઇચ્છું છું.
- કોઇપણ પ્રકારે અવિનય આશાતના અપરાધ અસત્કાર આ લેખકના મન વચન કાયા અને આત્માના કોઇપણ અધ્યવસાયથી થયો હોય તો પરમ ઉત્કૃષ્ટ ભાવે નમસ્કાર કરી, વારંવાર પ્રભુચરણમાં મસ્તક નમાવી ક્ષમાપના ઇચ્છું છું.
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર પ્રભુચરણોમાં પ્રાપ્ત થાય. (જવાબ વ. ૭૩૦)
પત્ર-૨૪
ખંભાત
કારતક વદ ૧૩, બુધ, ૧૯૫૩ વવાણીયા શ્રીમદ્ સદ્ગુરુદેવ શ્રી સહજાભસ્વામીશ્રીને નમો નમઃ પરમકૃપાળુ પરમોપકારી નાથશ્રી -
પરમકૃપાનુગ્રહયુક્ત એક પત્ર મળ્યો. વાંચી પરમ કલ્યાણમય લાભ થયો છે. પરમ પૂજ્ય માતુશ્રીને હવે પ્રિતિદિન અશક્તિ ઓછી જોવામાં આવે છે. જેથી શારીરિક આરોગ્યતા થવાના ખબર ઇચ્છું છું. તેમજ બે કર જોડી વંદન કરી સુખ શાતા પૂછું છું.
પૂર્વપ્રારબ્દાનુસારે હાલમાં આપ પરમકૃપાળુની સ્થિતિ એ આદિ ક્ષેત્રોમાં થવાનો સંભવ પરમકૃપાળુશ્રીના
૨૯