SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Sિ સત્સંગ-સંજીવની ) ( 4 ) ખંભાતથી લિ. અંબાલાલ લાલચંદના નમસ્કાર સ્વીકારશોજી. આપના તરફથી પત્ર લાભ ઇચ્છું છું. આપની કૃપાથી શરીર પ્રકૃતિ દિન પ્રત્યે સુધરતી આવે છે. હરિ ઇચ્છા હશે તો શાંતિ થશે એમ લાગે છે. આપના દર્શનની ઘણી ઇચ્છા રહે છે. તે તો આપ કૃપાનાથના હાથમાં છે. પત્ર લાભ ઇચ્છું છું. કામ સેવા ફરમાવશો. દ. અનાથ બાળક નગીનના પુનઃ પુનઃ નમન સ્વીકારશો. (જવાબ વ. ૬૬૮) પત્ર-૧૪ ખંભાત ચૈત્ર સુદ ૬, સં. ૧૯૫૨ આપ પરમ મહાન પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર પરમ કૃપાળુ, પરમ દયાળુ, પરમોપકારી, દીનાનાથ, દીનના બંધુ, અશરણના શરણ, નોધારાના આધાર એવા સ્વસ્વરૂપ વિલાસી, સદા આનંદી, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ, પરમ જ્યોતિર્મય પરમાત્મા શ્રી, સર્વજ્ઞ - પ્રભુજીશ્રી હાલમાં કપાપત્ર નથી તે દીન ઇચ્છે છે. થોડા દિવસ ઉપર આ લખનાર ને ત્રિભોવનભાઇ તથા કીલાભાઈ જણ ત્રણ ગામ કાવિઠે ગયા હતા. ત્યાં મુનિ સમાગમ દિન ત્રણ થયો હતો. તે પછી બે દિવસ વધુ નિવૃત્તિ લઈ અત્રે આવવું થયું હતું. તે સહજ જાણવા લખ્યું છે. મુનિશ્રી દેવકીર્ણશ્રીજીએ કહ્યું હતું કે મેં બે ત્રણ પત્રો સુરતથી કૃપાનાથશ્રીને લખ્યા હતા કે હવે મારે કેમ કરવું. પણ હું અયોગ હોવાથી કાંઇ જવાબ આપ્યો નથી. તને અને મુનિ લલ્લુજીસ્વામીને કૃ. દેવે કંઇ કરવા યોગ્ય કહ્યું હશે તે પ્રમાણે કરતા હશો. પણ મારે હવે કેમ કરવું ? કારણ કે હવે ધીરજ રહેતી નથી. આયુષ્યનો ભરોસો નથી માટે તું કૃપાનાથશ્રીને પત્ર લખી જણાવજે કે દેવકીર્ણજી કેમ કરે ? પછી તેનો જવાબ જે આપે તે લખી મોકલજે, એ વગેરે કહેવાથી આપ સાહેબને લખી જણાવ્યું છે. ઉપરના ઉત્તરમાં સહજ આપના પ્રતાપથી મુનિને એટલી વાત કરેલી કે આપ ધીરજનો ત્યાગ ન કરો. અને આપના મનથી આપ અયોગ્ય છો એમ જ લાગતું હોય તો કદાપિ કૃપાનાથશ્રી તરફથી અમુક વખત સુધી પત્ર લાભ ન મળે તો પણ ધીરજનો ત્યાગ ન કરતા યોગ્ય થવા જે જે પૂર્વે માન, મહાગ્રહાદિક તથા શાસ્ત્રાદિક અભિનિવેશ ટાળવા તથા પંચેન્દ્રિયાદિક વિષયોને જેમ બને તેમ જીતવા આપને જણાવ્યું છે, તે પર વિશેષ ધ્યાન આપી સત્સમાગમને ઇચ્છો. એ વિગેરે વાત થઇ હતી તે ક્ષમા ઇચ્છું છું. મુનિઓ નિવૃત્તિમાં વિચરે છે. અને સાથે ફક્ત સુંદરવિલાસ રાખ્યું છે. બીજું કોઇ પણ પુસ્તક રાખ્યું નથી. તે જણાવવા લખ્યું છે. મુનિ લલ્લુજી સ્વામિએ આપ સાહેબને પત્ર લખ્યો હશે. ઉપરની હકીકત મુનિ ) દેવકીરણજીએ કહેવાથી લખી છે આપને યોગ્ય લાગે તેમ તેવો ઉત્તર આપશો. મુનિ લલ્લુજી સ્વામિને કાંઈ ભક્તિનો લક્ષ હોય એમ લાગે છે. પણ દેવકરણજીને હજું તેમ લાગતું નથી તેતો આપ સર્વે જાણી રહ્યા છો. નિવૃત્તિ લેવા માટે અમુક અમુક ગામો અને મકાનો વિગેરે સગવડ સારી છે જેથી નિશ્ચિતપણે રહી શકાય એવા સ્થળોની આ ફેરા તજવીજ કરી રાખી છે. ઉદય યોગ પ્રારબ્ધથી માસ ત્રણ થયાં તાવ આવવાના કારણે પત્ર લખતાં વિલંબ થયો છે તેમજ આ પત્ર ઉતાવળે લખતાં નમ્રતાપૂર્વક ક્ષમા માંગું છું. કોઇ પણ પ્રકારે અવિનય અભક્તિ આદિ દોષ જે જે પ્રકારે મન, વચન, કાયાથી થયો હોય તે હેતુથી વારંવાર નમસ્કાર કરી પુનઃ પુનઃ ખેમાનું છું. {KI} સERROR MUSIC ૨૧
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy