________________
O RSS - SMS સત્સંગ-સંજીવની SSAS SS (9
કારણ કે તેવું આ આત્માને થવું છે. (જવાબ વ. ૬૫૫)
પત્ર-૧૧
ખંભાત
||
માગસર સુદ ૯, સોમ, ૧૯૫૨ એક સમય પણ વિરહ નહિ એવીજ રીતે તાદાભ્યપણે આત્મસ્વરૂપના વિષે સ્થિર એવા પરમ પુરુષોત્તમ કૃપાનાથજીની સેવા પ્રત્યે,
આપ પરમકૃપાળુ નાથે અનંત દયા કરી, આ મૂઢ યોગ્ય કાંઇ ઉપદેશ ઔષધિ પવિત્ર ત્રિભોવનદાસભાઇ ભેગી મોકલી પણ આ હીનભાગી હોવાથી અને તેનું પાન કરવાને હજુ તેની સ્થિતિ નહિ હોવાથી પવિત્ર ત્રિભોવનભાઇથી તે વાત વિસ્મૃત થઇ છે. ખેર, આ અનાથના કર્મનો જ દોષ. કદાપિ હવેથી જો યોગ્ય લાગે તો દયા કરી પત્ર વાટે જણાવશોજી. પરમ કૃપા કરી સમજીશ. હાલ એજ.
લિ. અલ્પેશ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર (જવાબ વ. ૬૫૬)
પત્ર-૧૨
ખંભાત બંદર
પોષ વદ ૮, બુધ, ૧૯૫૨ પરમકૃપાળુ કૃપાનાથ, પરમદયાળુ, અશરણના શરણ, અનાથના નાથ પરમ પૂજ્ય સાહેબજીની સેવામાં.
અત્યારે બીજું કાંઈ માગતો નથી પણ એટલુંજ માંગું કે તમારું શરણ મને ભવોભવ પ્રાપ્ત હજો, અને આપ પરમાત્મસ્વરૂપનું ચિંતવન મારા હ્મયને વિષે સ્થાપન રહો. કારણ કે આપનું એકપણ વચન મેં અંગીકાર કર્યું નથી. જેવો જન્મ ધર્યો તેવો જ ચાલ્યો જવા અત્યારે આ આજ્ઞાંકિત સેવક શરીરની અસાધ્ય વેદનીમાં પડ્યો છે. અને (જ્વર) તાવ અમુંઝણનું કર્મ પ્રબળપણે વર્યું છે. વિશેષ તો શું લખું ? ભરોસો નથી લાગતો. કદાપિ જો શરીર રહિત થવાની ઇશ્વરની ઇચ્છા હશે તો મારી સમયે સમયે વંદના સ્વીકારી લેજો. અને ઈશ્વરની મરજી હાલ જો ન હોય તો આપના દર્શન કરી, આનંદ માનીશ. અત્યારે આપની અલૌકિક મૂર્તિનું ધ્યાન દયના વિષે રટ્યા કરું છું. હાલ એજ. વિશેષ શું લખવું ?
આજ્ઞાંકિત સેવકની વંદના સ્વીકારશોજી. નગીનના પુનઃ પુનઃ નમન સ્વીકારશોજી. (જવાબ વ. ૬૬૭)
પત્ર-૧૩
ખંભાત બંદર
પોષ વદ ૧૧, શનિ, ૧૯૫૨ પરમકૃપાળુ કૃપાનાથ, પરમંદયાળુ, અશરણના શરણ, અનાથના નાથ પરમ પૂજ્ય સાહેબજીની સેવામાં.
૨૦