________________
GREERS સત્સંગ-સંજીવની RSH RO
|
‘ભવ મંડપે કરી પ્રીત, માયા સેજ સુંદર પાથરી,
ત્યાં નિત્ય સૂતો ગાઢ નિદ્રા મોહની અતિ આચરી; જાગૃત કરી ગુરૂ રાજચંદ્ર, બોધદાન ક્યું શરૂ,
સહજાત્મરૂપી સેવ્યગુરૂને, વંદના વિધિયે કરૂં. તેઓશ્રીને સત્સંગ-કથાવાર્તાની એવી લગની લાગી હતી કે આખી રાત શ્રીરાજગુણ કથા કરતા થાકે નહીં. નિત્ય નવો રંગ જ દેખાય. એમ પૂ. શ્રી ઉપકારી મોહનલાલજી મહારાજ સ્વામીએ પોતાના પરિચયમાં લખાવ્યું છે તે નીચે પ્રમાણે :
સં. ૧૯૫૨ ની સાલનું અમારું ચોમાસું ખંભાત હતું. અમે ખંભાત જવા વિહાર કર્યો. વિહાર કરતા કરતા ગામ સોજીત્રા આવ્યા. ત્યાં પૂ. ભાઇશ્રી અંબાલાલભાઇ પધાર્યા. એટલે પૂ. મહારાજશ્રીને પરસ્પર સમાગમ થવાથી અત્યંત આનંદ થયો. અને આખી રાત શ્રી પરમકૃપાળુદેવના ચરિત્ર સંબંધી ગુણગ્રામ કરી પરમ આનંદમાં ગાળી હતી. તેઓશ્રી મને પણ પ. કૃ. દેવના માહાભ્ય સંબંધી એવી વાત કરતા કે મારા કાળજામાં ઘણા કાળ સુધી તે ને તે રમ્યા કરે અને વિશેષ શ્રધ્ધા બેસતી જાય. - સં. ૧૯૫૪માં પ.પૂ. ભાઇશ્રી પોપટલાલભાઇ ૫. અંબાલાલભાઇના સત્સંગ અર્થે ખંભાત તેમના ઘરે પધારેલા. તેઓ સાથે શ્રી ચિંતામણી પાર્શ્વપ્રભુના દેરાસરમાં દર્શન અર્થે ગયેલા. ત્યાં ભોંયરામાં પ્રભુ સન્મુખ બેસી પૂ. અંબાલાલભાઇ “હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ.” એ દોહરા આર્તતાથી બોલતા હતા. પ્રભુની પ્રતિમાજીમાં સાક્ષાત્ પ્રભુના દર્શન કરતા હોય તેવી જિનભક્તિમાં અતિ શુધ્ધ ભાવે લીનતા થયેલી જોઈ. તેની પૂ. ભાઇશ્રીના હૃયમાં છાપ પડી કે – ‘તે વખતે ક્ષાયિક જેવી અંબાલાલભાઇની દશા હતી. એ પ. કૃ. દેવ ભક્તિનું ફળ દર્શાવે છે. આ
“જે ભક્તિને પ્રાપ્ત થવાથી સગુરૂના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઇ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય....” - પૂ. અંબાલાલભાઇને એવી આત્મબોધ અર્પનારી ભક્તિ પ્રાપ્ત થઇ હતી. તે ભક્તિના બળે જ્ઞાનની નિર્મળતા થવાથી તેઓને અંતર્લક્ષ થયો. તે હકીકત પરમકૃપાળુદેવને તેઓશ્રીએ પોતે નિવેદન કરી છે. તેના પ્રત્યુત્તરમાં પ.કૃ.દેવે વ. ૬૫૪માં પુષ્ટિ આપી તે “અંતર્લક્ષને’ ઉપકારભૂત કહ્યો છે.
અંતર્લક્ષવત હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે.” પ.કૃ. દેવ. - જ્યારે જ્યારે તેઓ કૃપાળુદેવના સમાગમમાંથી ઘર તરફ આવે ત્યારે બહુ જ વિરહ વેદના થતી ને મનોમન કેટલાક નિયમ - બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા વગેરે કરતા.
શ્રી વીતરાગનો મૂળ માર્ગ - ગચ્છમતરહિત સત્ય ધર્મ અપનાવવા – ઉપાસવામાં કેટલાક ધર્મસંકટો અને પરિષહો આવ્યા. છતાં તેમના Æયમાં ધર્મનો દૃઢ રંગ ટકી રહ્યો.
ખંભાતમાં શ્રી પ.ક. દેવ બે વખત પધાર્યા હતા. સં. ૧૯૪૬ ની દિવાળીમાં અંબાલાલભાઇના ઘેર, બીજી વાર સં. ૧૯૪૯ ના ભાદરવામાં પૂ. છોટાલાલભાઇ માણેકચંદને ત્યાં ૧૮ દિવસની સ્થિતિ થઇ હતી. ત્યાં પણ અંબાલાલભાઇ મુખ્યપણે સેવામાં રહેતા. બધાને સત્સંગ-ભક્તિમાં ઉલ્લાસ ખૂબ જ રહેતો. શ્રી ગાંડાભાઈ