SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ R RESEસત્સંગ-સંજીવની હSCREERS () જવાનો વિચાર રહે છે. પણ તે સર્વે આપને મળ્યા પછી. , બીજું હાલમાં વાંચવાનો અભ્યાસ છૂટક છૂટક આપના બોધ પ્રકરણો વાંચું છું. જેથી આત્મા પરમ | આનંદમાં રહે છે. વિશેષ બોધ થવાને સારૂં શું વાંચવું તે લખી જણાવશો. હા આજ દિન સુધીમાં આ જીવે આ ભવમાં ઘણાં કુકર્મ કર્યા. અને પર છિદ્ર વારંવાર જોયા ને અવર્ણવાદ બોલવા એ વિ. કત્યમાં જનમ ગુમાવ્યો. પોતાની ભૂલો કાઢવા કોઈપણ પ્રયત્ન કર્યો નહીં, એ ખેદ ઘણો જ રહ્યા કરે છે. માટે વૃત્તિ નિર્મળ થવા શુદ્ધ ઉપયોગમાં રહેવા કૃપાદૃષ્ટિ કરી સાધન બતાવશો. પણ આપ પરમ ઉપકારી છો તો દયા કરશો. એ જ અરજ. કાગળનો પ્રતિ ઉત્તર લખશો. પોષ વદ-૧૦ વાર ગુરૂ દ, પોતે. પત્ર-૧૪ | પરમ આત્માર્થી સ્વરૂપ ઈચ્છાવાન શાહ અંબાલાલ લાલચંદ વિગેરે.. - પ.પૂ. શ્રી સોભાગ્યભાઈના મૃત્યુના સમાચાર સાંભળી અત્યંત દિલગીર છું. પરંતુ તેમના શુદ્ધ પરિણામ, શુદ્ધ ઉપયોગ, પરમ શાંતિ, અસંગપણું, પરમ ઉદાસીનતા અને પરમ સમાધિવત સાંભળી કેટલોક આનંદ થાય છે. પણ જ્ઞાની પુરુષના વિરહથી ઘણું ખેદનું કારણ છે. બીજું આપના દર્શનની ઈચ્છાએ હું તથા છોટાલાલ વિગેરે આપનું સાયલેથી આવાગમન જાણી અમો તળાવ ઉપર આવીને રાહ જોઈ. પણ દર્શનની અંતરાયથી જોગ થયો નહીં. હાલમાં શું વાંચન ચાલે છે તે લખશો. આપના દર્શન માટે થોડા સમયમાં દિવસમાં આવવાનો વિચાર છે. એ જ વિનંતિ. સર્વે સત્સંગી ભાઈઓને મારો નમસ્કાર કહેશો. પત્ર લખતાં રહેશો. જો લિ. ધોરીભાઈ બાપુજી, ભાદરણ. તા. ૧-૭-૯૭ પત્ર-૧૫ શ્રી કલોલ જેઠ વદ ૧૪, ભોમ પરમપૂજ્ય આત્માર્થી ભાઈ અંબાલાલભાઈની સેવામાં, આપનું સાયલેથી શુક્રવારનું લખેલું ક્યાર્ડ મને પોંચ્યું છે. સેવકનું કેવું કમનસીબ છે કે આપે કૃપા કરી દયા લાવી સેવકને પાવન કરવા ઉતર્યા. તે દરમ્યાન છોરૂના કમનસીબે એવું જોર કર્યું કે એક દિવસ પત્ર બીજે ઠેકાણે ભમી આવી મોડો પોંચ્યો. તેને માટે પૂ. ભાઈ ખેદ રહ્યા કરે છે. કારણ અત્રે સત્સંગનો વિયોગ છે. અને આવો જોગ મળ્યા છતાં કરમે જોર કર્યું. માટે હે ભાઈ ! સત્સંગના દર્શનના વિયોગનો પ્રસંગ બન્યો જોઈ અત્યંત ખેદ રહ્યા કરે છે. - પૂ. ભાઈ, આ એક ખૂણેખાંચરે પડેલા બાળકની પત્ર દ્વારાએ ખબર લેશો, ખબર લેશો. કારણ અત્રે સત્સંગનો પરમ વિયોગ છે. તેમ પરમકૃપાળુ નાથના સમાગમથી ઢંઢિયા વર્ગના લોકો તરફથી પરિષહ પણ પડે છે, માટે ૫. ભાઈ કપા કરી દયા લાવી પત્ર દ્વારા આ બાળકની ખબર લઈ પાવન કરશો. જ સેવકના અવગુણ તરફ લક્ષ નહીં રાખતાં, દયા લાવી હંમેશા ખબર લેશો. એ જ. ૨૪૨
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy