________________
O GOGASHERS સત્સંગ-સંજીવની CSR SEC)
કામ સેવા ફરમાવશો.
લિ. ઉગરીનું પાયલાગણું સ્વીકારશો.
પત્ર-૪
જેઠ વદ ૨, ૧૯૫૨ પરમ પવિત્ર રાજચંદ્રજીને ત્રિકાળ નમસ્કાર ! પરમ દયાના સિંધુ ભાઈ શ્રી અંબાલાલભાઈ
લિ. વિયોગી દર્શનાતુર અજ્ઞાન સેવકનું પાયલાગણું સ્વીકારવા કૃપા કરશો. મુરબ્બી ભાઈ, અંતરની ઊર્મિઓના સમાચાર મંગાવ્યા. પરંતુ આપશ્રીના આગળ લખવાને મૂઢસેવક શક્તિમાન નથી. આપના સોમા હિસ્સામાં આ બાળક નથી. છતાં શું લખે ? પવિત્ર નાથજીની કૃપાદૃષ્ટિથી સૌ સારૂં થશે. પ્રથમ કરતાં લીમડીથી આવ્યા પછી વૃત્તિ ઠીક રહે છે. તે સહેજ વિદિત કરું . હાલમાં સુંદરવિલાસ વાંચું છું. અયોગ્ય તેમ, સત્સંગનો પણ વિયોગી બાળ સામી દૃષ્ટિ કરો, દૃષ્ટિ કરો ! અને સંસાર સાગરમાં ડૂબતા બાળને પવિત્રનાથ સાહેબજી તરફથી મળેલો શિક્ષાબોધ દઈ શાંત કરી બહાર કાઢો, બહાર કાઢો.
સંવત ૧૯૪૬ની સાલમાં પવિત્ર પૂજ્ય શ્રી જૂઠાભાઈ તરફથી “સ્વવિચાર ભુવન” ઈત્યાદિક લખેલું પુસ્તક મળેલું. તે પુસ્તક પરમકૃપાળુ પવિત્ર સાહેબજી રાજ મુકામેથી અત્રે પધારેલા હતા તે વખતે સાહેબજી લઈ ગયા છે. તે સહેજ વિદિત કરૂં . લિ. વિયોગી કુંવરજીના નમસ્કાર, કલોલ.
પત્ર-૫
અષાડ વદ ૧૧, ૧૯૫૨ સ્વસ્તી શ્રી ખંભાત બંદર મહાશુભસ્થાને પૂજ્યારાધે સર્વ શુભોપમાજોગ પરમસ્નેહી ભાઈશ્રી અંબાલાલ લાલચંદ,
સાયલેથી લિ : શાહ સોભાગ લલ્લુભાઈના ઘટારથ વાંચશો.
જત તમારા કાગલ પોંચા છે. સમાચાર જાણા. સાહેબજીનો આગળનો પત્ર તપાસ કરતાં હાથ આવવાથી ૨, ૩ કાગળમાં બીડ્યા છે તેની પોંચ લખશો. ચોપડીમાં છાપવા ઘટે તે છાપજો. હવે ચોપડી (વચનામૃતજી) તૈયાર થઈ હોય તો અહી એક મોકલાવશો. ખુશાલદાસનો દેહ ત્યાગ થયો જાણી ઘણો અફસોસ થયો છે, પણ નાની ઉંમરમાં છેવટ સુધી સરધા સારી રહી આવું તમે લખું, તો એ સત્યરૂષની કિરપા જાણવી. આ દેહનો ભરોસો નથી તો ભક્તિમાં ચૂક પડવા દેવી નહીં. લિ. સોભાગના સરવ ભાઈઓને ઘટારથ કહેશો.
પત્ર-૬
૧૯૫૨ - આસો વદ ૧૧ પરમદુર્લભ સત્સંગ પ્રાપ્ત, અનેક ગુણાલંકૃત ભાઈશ્રી અંબાલાલભાઈ, નડિયાદ. વિશેષ વિનંતિ કે, આપનો કૃપાપત્ર તથા આત્મસિદ્ધિ ગ્રંથ સુધાતુરને જેમ ભોજન મળે તેવો વાંચતાં
૨૩૭