SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની કરવાને અભિલાષીત છઉં. પરંતુ આપના અમૂલ્ય લક્ષમાં હશે કે એ ગ્રંથનો લાભ અનેક જનોને આપવાનો હેતુ છે, એટલે કે અર્ધકચરીયા જુવાનીયાઓ ગુજરાતી ટાઈપને વિશેષ પસંદ કરે છે. મારો તો મત એથી વિરૂદ્ધ છે. પરંતુ – તરફથી આશ્રયની વિશેષ આશા રહે છે. કદાચિત્ આપ જેવા સુજ્ઞ શ્રાવક મને અનુગ્રહયુક્ત આવી ભલામણ કરે તે યોગ્ય હોય તો મારો ધર્મ છે કે તે મારે સ્વીકા૨વી. વિશેષ ગ્રાહક વૃદ્ધિ થશે તો આપના ફરમાન મુજબ હું શાસ્ત્રીય ઢબનું જ છપાવીશ. ગ્રંથનો હેતુ ધર્મનો ઉપદેશ બોધવાનો છે એટલે જેમ વધારે સ્થળે ફેલાય તેમ કરવાની અભિલાષા છે. ઞ – આપના પ્રેમભાવ ભૂષિત પત્રથી આપનો મારા પર આભાર થયો છે. આપ જેવા વિરલા શ્રાવકો તરફથી ઉત્તેજન વૃદ્ધિ થશે તો હું બાળાવબોધથી જ છપાવીશ. કદાચિત્ પૂરતો આશ્રય મળશે નહીં તો ય આપના માનની ખાતર એ ગ્રંથ શાસ્ત્રીય બીબાંથી છપાવીશ, એમ આપને પાદે રહીને વચન આપું છું. આપનું એ અમૂલ્ય ફરમાન હું સ્વીકૃત કરતાં હર્ષિત જ છું. આ – પાના કરવાની પણ ગોઠવણ કરીશ. ગ્રંથ હોવાથી ઘણી મુદત ટકી રહે છે. પરંતુ પાના એટલી મુદત ટકી રહી શકતા નથી. શ્રાવકસમૂહને એ ખાતાનું કંઈક ન્યૂન જ્ઞાન હોવાથી થોડી મુદતમાં એ પાનાને પરધામ પહોંચાડી દે છે. એથી કરીને પાના છપાવતાં અચકાવું પડે છે. વળી એ પાના ન છપાવીએ તો મહાસતીઓને જરા અશાતા જેવું થાય. એ કારણનું પરિક્રમણ કરતાં મહાસતીઓને જરા અશાતા જેવું થાય. એ કારણનું પરિક્રમણ કરતાં મહાસતીઓને શાતા ક૨વા યોજન કરવું એ વધારે ઉત્તમ છે. પરંતુ અબુધ શ્રાવકોને માટે ગ્રંથની ગોઠવણ કરવી જોઈએ. એથી કરીને હું એવા પ્રકારની ગોઠવણ કરીશ કે બંને વર્ગને શાતા રહે. આર્યાજીને માટે હું પાનાની ગોઠવણ કરીશ, તેમ જ પાનાના ગ્રાહકોને પાના પહોંચાડી શકીશ. ગ્રંથના સખ્યને ગ્રંથ આપવા યુક્તિ કરીશ. બાલાવબોધ બીબાં છે માટે અનેક સ્થળે અને અનેક દેશે વંચાશે. એ આપના સિદ્ધાંતને હું મળતો છઉં. ઙ્ગ – હેંડબીલ મેં તપોગચ્છ પર મોકલ્યું નથી. પરંતુ મોકલું તો એથી કરીને હું કોઈ પણ સ્થળે બંધાઈ જતો નથી. હસ્તપત્રની એવી જ ઢબ રાખી છે કે તે દરેક વર્ગના શ્રાવકો પોતાનો ધર્મગ્રંથ ગણે. એટલે મેં એમ કરવાની યુક્તિ તો કરી છે. હવેથી અજમાવવી બાકી છે તો તે ઘણું કરીને અજમાવીશ.......... ૩ – સદ્ગુણ નિધાન, દયાના દરિયાવ, પરમોપકારી, મહામુનિશ્રીજી પૂ. દીપચંદજી સ્વામીને તથા અન્ય ઠાણાઓને મારી વતી ૧૦૮ વાર તિખ્તોનો પાઠ ભણી પ્રેમભાવ ભૂષિત વંદના કરવા કૃપા કરશો એમ અભિલાષા રાખું છું. અત્રે બિરાજતા મહામુનિઓશ્રી સુખશાંતિમાં છે. શ્રાવક સમૂહને જયશ્રી વર્ધમાન. એ જ વિજ્ઞપ્તિ. સેવક યોગ્ય કામ સેવા ફરમાવશો. કૃપામાં વધારો કરશો, વળતીએ પ્રેમ પત્ર પાઠવશોજી. મોરબી મચ્છુકાંઠા ૧૯૦ હું છું આપનો આજ્ઞાધીન કિંકર રાયચંદના જયશ્રી વર્ધમાન અંગીકૃત કરશોજી.
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy