SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ @ ERS SS સત્સંગ-સંજીવની ) SSC મોક્ષમાળા છપાવવા વિષે ૫. કૃપાળુદેવના પત્રો રવાને શ્રી વવાણિયા બંદરથી ચૈત્ર સુદ-૬ ભોમે, મોરબી. રા. રા. સુજ્ઞ રેવાશંકર વિ. જગજીવન પ્રતિઃ આપને મેં એક પત્ર લખ્યો છે. તે પહોંચ્યો હશે ? મોક્ષમાળા લગભગ હવે તૈયાર થવા આવી છે. (શુદ્ધ લખાઈને) અમદાવાદ ભણી બે ચાર રોજમાં પર્યટન કરવા વિચાર છે. એ મોક્ષમાળામાં જૈનીઓનાં મન અધિક અધિક કેળવાય એવી જાતના સ્વરચિત ૧૦૮ પાઠ નાંખ્યા છે. જેમાં યથામતિ શિક્ષા આપી છે. હું ધારું છું કે તે યોજના પ્રયાસથી બહુ ફળ આપશે અને એવું પણ ધાર્યું છે કે એ ૧૦૮ પાઠનું તત્વ ખેંચી એક લધુ મોક્ષમાળા નામનું નાનું પુસ્તક રચવું. જૈન વિદ્યાર્થીઓની વૃત્તિ કેળવાય, એની કિંમત થોડી રાખી ઉત્તમ યોજનાથી ઘણી પ્રતો ખપી શકે એમ કરવા ધાર્યું છે. | મારો આ વિચાર કેટલી મુદતે પાર આવી શકે, જે હું કહી જઉં કે આપે અને મારે મુંબઈમાં હમણાં એકાદ વર્ષ સાથે રહેવું, ઉત્તરાધ્યયન સૂત્ર અને એક તત્વજ્ઞાનથી ભરેલો સ્વરચિત સાર્વજનિક ગ્રંથ પ્રસિદ્ધ કરવાં. બીજાં પણ યોગ્ય યોગ્ય ગ્રંથો પ્રસિદ્ધ કરવા. સેંકડાબંધ ગ્રાહકો એ ભવ્યપુરીમાં અવશ્ય મળી શકશે. એ ખાતે ખરેખરો પ્રયાસ કરવા મારી તો ઈચ્છા થઈ છે. આપ પણ કુરૂભૂમિમાંથી છૂટી શકશો. સંપૂર્ણ મહેનત કરી હોય તો હું ધારું છઉં કે મુંબઈમાંથી ઘણો જ લાભ પેદા કરી શકીએ અને મારી ઈચ્છા કેવળ થઈ ગઈ જ છે. આપને પણ સારો લાભ આપવામાં મારું હૃદય દુ:ખશે નહીં. હવે એ ખાતે આપ શું વિચાર જણાવો છો તે તો હું જાણું. - મુંબઈમાં ઉતારો સ્વતંત્ર અને સંયોજક કરવા અતિ ઈચ્છા છે. મહાજનોનો સમાગમ પણ ત્યાંથી મળી શકશે. ઉત્તર લખો. કૃપામાં વૃદ્ધિ કરશોજી. વિસ્મરણ થતું નથી આપને પણ તેમ જ હશે ? રવાને શ્રી મોરબીથી તા. ૧-૧૦ સંવત ૧૯૪૨ માનવંતા સાહેબ સદ્ગુણ નિધાન, કરૂણાબ્ધિ રા. રા. ડોસાભાઈની પવિત્ર સેવામાં, લીંમડી. સેવામાં વિ. મોરબીથી વવાણિયા બંદર નિવાસી આજ્ઞાધિન અનુચર રાયચંદ વિ. રવજીભાઈ મહેતાના જયશ્રી વર્ધમાન માન્ય કરશોજી. વિશેષ હું અત્રે ધર્મધારણા પ્રભાવથી કુશળ છઉં, આપની સહકુટુંબ કુશળતા ચાહું છું. આપનો કપાયુક્ત હુક્મ મને આજે મલ્યો. વાંચી પરમાનંદ પ્રાપ્ત થયો છું. એ ખાતે આપનો અતિ ઉપકારી છું અને તે વિષેનો વિનયપૂર્વક પ્રત્યુત્તર લખવાની આજ્ઞા લઉં છઉં. ૧આપ ભલામણ કરો છો કે મોક્ષમાળા ગ્રંથ શાસ્ત્રી (બાલાવબોધ) બિબાંથી છપાવવો. “હા” તેમ નોંધ : આ પત્રો નવા ઉપલબ્ધ થયેલ છે. (પેજ નં. ૧૮૯, ૧૦) ૧૮૯
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy