________________
SિTER ) સસંગ-સંજીવની ) SSA (2)
કવિત રાજાને બોધ જેમ શેષ તણું ધ્યાન, રહે ભગવાન મળે, જપે અષ્ટયામ રામ, નામને સચેતથી. જેમ વિદ્વાન ગુણ ખાણ ને વિચારવાન, ભાવ રાખે શારદામાં પણ વિત્ત વૈતથી, જેમ નટવો ખટપટ સહુ તજી દઈ, નજર ઠેરાવે એક, દોર વિષે ચિત્તથી, વદે છે વણિક રાય, એમ પ્રજા ધ્યાન રાખે, ભાવને નજર રાખો, રાયતણી પ્રીતથી.
બોટાદના માનપત્રમાં શ્રીમદ્ રાજચંદ્રજીને લખી આપેલી કવિતા દેવશંકર વૈકુઠજી ભટ્ટ - તાલુકા સ્કૂલના હેડમાસ્તરની રચેલી - તા. ૬-૩-૧૮૮૬. દોહરા સોળ કળાથી પૂર્ણ ને, શીતકર મનહર ચંદ, તે સમ કીર્તિ જણાવતાં, આવ્યા કવિ આ ચંદ. અચળ વૃદ્ધિવાળા વળી, ન વદે કોને દુ:ખ, ચંદ્ર થકી પણ સરસ એ, આપે અધિકું સુખ. ચંદ્ર નહીં તો ચંદ છે, નાના એ પણ હોય, ચંદાદિકનો રાય છે, સભા વિષે એ હોય. શીઘ્ર કવિતા સાંભળી, જન મન બહુ હરખાય, ગુજરાતી ગટુલાલને, જોતાં હર્ષ ન માય. કરે કવિતા કવિ ઘણાં, ગ્રંથો ભરે અનેક, અવધાનો અધિકાં કરે, તે લાખોમાં એક. અષ્ટાવધાન ચાલતાં, સાંભળતાં કો વાર, દ્વાદશ ષોડશ ઉપરે, શતાવધાની યાર.. આડા અવળા આપીએ, અક્ષર છંદો જેમ, તે સઘળાં સવળા કરી, આપે પણ તે ક્ષેમ. કૃપા પ્રભુની હોય ત્યાં, આવા જન્મે જન, કોટિ કોટિધા આપીએ, હોંશે હોંશે ધન્ય.
૧૮૮