________________
O GSSS SS) સત્સંગ-સંજીવની ) CREDIES
કરી ઘો કમી જે કરો કષ્ટકારી, વદી ‘રાયચંદે’ વિનંતી વિચારી, ગ્રહો ગુણ ગાંભીર્યતા જ્ઞાન ગીતી, પ્રજા પાળજો પાઠવી પ્રેમ પ્રીતિ. ૮ સવૈયા રૂપ ન શોભ હી ગુણ બીના, અરૂ ભૂપ ન શોભ હી રાજ બીનાસે, કૂપ ન શોભ હી નીર બીના, પુનિ ચૂપ ન શોભ હી કાજ બીનાસે. નેમ ન શોભ હી નીતિ બીના, કછુ રે મન શોભ હી પાપ બીનાસે, રાય સદા ત્યોંહી સૃષ્ટિ તિલોત્તમા, શોભ હીના બીન પ્રેમ બીનાસે. વિદ્યા વિષે-યમકાલંકાર - ઉપજાતિ છંદ
તા. ૨૬-૧૦-૧૮૮૫ વિદ્યા વિલાસે યશો કમાશે, વિદ્યા વિલાસે, મનધિ સમાશે, વિદ્યા વિલાસે, પ્રભુતા પ્રકાશ, વિદ્યા વિલાસે, દુઃખ દૂર થાશે.
કવિ વિષે કવિતા ૯. અહો પરમેશલેશ, ઉદેશસે વિશ્વ કીયો,
ખરેખાત ખૂબી તામે, બહુરી બનાઈ હૈ. મહા મહિપતિ અતિ, ઈનમેં તે ગતિ કીની, મુજ જૈસે પામરકી, મતિ મુરઝાઈ હૈ. અંબર અવનિ અરૂ, અ૬પાર અટવી મેં, આનંદ આનંદપીકી, અવધિ ઉપાઈ હૈ. યામેં અફસોસી અવલોકનમેં એક આઈ, કાહૈયું તે કવિયોર્ક, દીનતા દીખાઈ હૈ. કવિયોની કંગાળતા માંગેલ કવિત. જગતના ભૂપે રચ્યો, ખલકનો ખેલ ખાસો, ખરેખાત ખૂબી તેની, નીરખી જતી નથી, તેહતણા જોઈને મુદામ કામ આંખ થકી, અકલિત કળા તોયે, કળિ કળાતી નથી. આનંદ અધિક અવિનાશી તણા કામ જોતાં, એક અફસોસ તણી, અંતરે રહી કથા,
જેને આપી શારદા ને, સંકટ સદૈવ વેઠે, પ્રભુતણા રાજ વિષે, અન્યાય આતો અતિ.. ૧૧. અનંત સુખ લેશ દુઃખ, તે ન દુઃખ ખેદ ત્યાં, અનંત દુઃખ લેશ સુખ, પૂર્ણ પ્રેમ ભેદ ત્યાં;
- સુશીલ પથ્ય તત્વજ્ઞાન, ઔષધિરૂચિ નહીં, નિવૃત્તિ ભેદ ‘લે’ હવે, પ્રવૃત્તિને તજી દઈ. ૧૨. સં. ૧૯૪૪ની સાલમાં રાજનગરમાં શ્રી દલપત્તભાઈ ભગુભાઈના વંડામાં અવધાન થયેલા તે વખતે મુનિશ્રી શાંતિવિજયજીની તાપણીમાં રહેલી (મુનિશ્રી હાજર હતા.) દોરી વિષે :- ભુજંગી છંદ
રશી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી; રહી શાંતિની ત૨૫ણીમાં સુસેવી, અમે વંદીયે તે તને માન આપે, પછી વર્ણવું શું ? ભલી, કાવ્ય માપે.
| માળા પ્રાણી રૂપી પારા જેમાં, સુઘડ ને સારા એમાં, મેર કવિ પ્યારા તેમાં પૂરી ખૂબી મેલી છે, લીલા શ્રી લોભાવવાને, સૃષ્ટિને શોભાવવાને, કવિ તણી ગતિ એવી, દિવ્ય જેણે મેલી છે; હૈયા વિષે હેત ધરી, તે હરિને હર્ષ ભરી, રાયચંદ્ર વણીકની, વંદના પહેલી છે.
૧૮૭