________________
SિSS SSS સત્સંગ-સંજીવની {S RESERS )
શ્રી પરમકૃપાળુદેવના અપ્રસિદ્ધ અવધાન કાવ્યો.
- મિત્રપ્રતિ - ઈદ્રવિજય છંદ ૧. મિત્ર તને બહુ પત્ર લખ્યા પણ, ઉત્તરનો પ્રતિ પત્ર ન આવ્યો,
પ્રેમ નિભાવન પત્ર વિના મુજ, જીવ તમે તક આ તલફાવ્યો, થાકી ગયો લખતાં લખતાં, કરૂણા રવ તો ય તને નહીં ભાવ્યો, ‘રાય” સુજાણ અજાણ થઈ મન, આળસ કેમ અનુચિત લાવ્યો.
કાવ્ય વિનોદ ૨. પર્ શત્રુ સમૂહ હણ્યો નહીં તો પછી, ઈતર વૈરી હણ્યો ન હણ્યો,
કીરતિ કોટ ચણ્યો નહીં તો પછી, ભવ્ય મહેલ ચણ્યો ન ચગ્યો, ગોવિંદના ગુણગાન ગણ્યા વણ, ‘રાય’ ગણીત ગણ્યો ન ગણ્યો. કાવ્ય વિનોદ ધર્યો નહીં તો પછી, ભારતી ભેદ ભણ્યો ન ભણ્યો.
કવિઓની કંગાળતા ૩. કવિઓને ધામ નહીં, કવિઓને ઠામ નહીં, કવિઓને દામ નહીં, પ્રભુને દયા નથી;
ધરે નામ ધનવાન, કરે ‘રાય’ સન્માન, બુધ વેઠે શિર પર, આપદા અતિ અતિ. ૧, કોણ જાણે ક્યો ગુનો, ઈશ તણો કર્યો હશે ? ખબર તેની તો કાંઈ શોધે પડતી નથી; જેને આપી શારદા ને સંકટ સદૈવ વેઠે, પ્રભુ તણા રાજ વિષે, અન્યાય આ તો અતિ. ૨.
કાળ ૪. ધાક પડે ધરણીતળમાં, વળી હાક હંમેશ હજાર ફરે રે,
પાક અને શુભ ભાવતાં ભોજન, શાક સહીત પચાવ કરે રે, વાક્ય વિનોદ વિચિત્ર કરે, અને ડાક ડીમાક અનેક ધરે રે, ‘રાય’ દમામ તે કામ ન આવત, કાળ કરાળની આંખ ફરે રે. હળદીની ગ્રંથી લઈ હીલચાલ કરે કોઈ, ગાંધી વિષે ગણતી તો તેની કદી થાય ના, વસ્ત્રતણું થાન કોઈ હેવાન એકાદું રાખી, દોશીની તો તેને કદી ઉપમા અપાય ના, પાંચ સાત મોતી ખોટાં, મૂલ્યહીન રાખ્યાં હોય, તેથી કરી ઝવેરી તે કદીયે જણાય ના, રાજનીતિ ધાર્યા વિના ચામર ને છત્ર ધરે, મનુષ્ય એ વાતે કદી ભૂપતિ ભણાય ના.
| (રાજનીતિ)
ગ્રંથી
૬. પહાડથી પંચોતેર ગણી, પ્રૌઢતામાં એવી, જડતાની જામી છે, હૃદયગ્રંથી તુજને,
ટોકવાથી ટળે નહીં, બાળવાથી બળે નહીં, ચિત્ત થકી ચળે નહીં, પામ્યો એવી ગુજ્જને, કોટી કાળ સુધી એ તો બિગડે કે સડે નહીં, અખંડ રહી છે જેહ, અંતર અબુઝને, વદે છે વણીક ‘રાય’ સદ્ગુરુ સેવ સ્નેહ, પરમ પ્રબોધ થકી ટાળે જે અસૂઝને.
૧૮૪