________________
O GSSS) સત્સંગ-સંજીવની ) SSC SCI.)
આળસ સાર બિચાર અપાર હીકી ખરચી, ભરી લીની સ્વચિંતનમેં, નેક વિવેક સ્વરૂપ કે વાહન, પંથ ચડ્યો શુભ ગ્રંથનમેં, મેં હીયમેં હર્ષીત ભયો, અબ આઉંગો પંથ કે અંતનમેં, આઈ ઈવે પર આળસ ડાકીની, લે ગઈ માંકું ઘટાવનમેં. સવૈયા આત્મસ્વરૂપ અનુપ ભયે, કહા વેદ પુરાન કુરાન કી બાની, હાજર હોત હજુર મેં લક્ષ્મી, તો કહાં પાંચ પચીશકી કહાની, ભીલરી કામ કહાં ન રહૈ, ઘરપે રહી હૈ જબ પદ્મીની રાની, ‘રાય’ કહાં સન્માન કો કામ હૈ, જો દિયમેં બસી પ્રેમ નિશાની. સ્વતંત્રતા વિષે-સિંહાવલોકી ધારો તમે ભરતવાસી સદા સુધારો, ધારો તથા કલમનો સદ્ધોધ સારો, મારો કરો જગતનાથ હંમેશ સારો, સારો મળે સકળ તો તમને સુધારો. અપ્રસિદ્ધ અવધાન કાવ્યો નવાં (પહેલી આવૃત્તિમાં નહીં છપાયેલ અને પ્રાપ્ત થયેલ) સમસ્યા - ઉપજાતિ છંદ પંખી સમૂહે બહુ કલેશ જામ્યો, ગરૂડનો ન્યાય અયોગ્ય લાગ્યો. મહેશ તેડ્યા પછી ન્યાય કાજે, ગરૂડ પીઠે શિવજી બિરાજે. શ્રીમંત છતાં શોક - કવિત ધન છતાં નિશદિન, ચિત્ત વિષે ચિંતા રહે. રટણ ન થાય કદી, રામ તણા નામનું; ગર્વ શ્રી ગુમાન રાખી, બાન અને શાન ખુવે, ત્રિયા થાય લંપટ ત્યાં, સુખ નહીં કામનું, કંજાભાઈ કેળવીને, દામ નિત્ય દાટી રાખે, જગમાંહી નામ રહે, બે એ જ બદામનું, આવ્યો ઠાલો જાય ઠાલો, ફૂલાઈ રહે છે ઠાલો, એથી સુખ સારું કહું, કવિતણા કામનું, અંતરનો અંધકાર રૂપી પટ ટળી જશે, ભ્રમવાન ભટકે, ન તેમાં મન ભટકે, સ્વભાવ શીતળ થઈ, શાંતિ શાંતિ થશે શુભ સુણે શાસ્ત્ર ખટકે તે, ઉર રાખી ખટકે, બળી જશે બહુ વિધે, ત્રિવિધના તાપ અને, નીતિ નેમ ઝટકે ન, જુઠતાને ઝટકે, વદે રાયચંદ આમ, એવો ધર્મ ધારે નેહ, તેહ નર લટકે ન લલનાને લટકે.
૨. ૧૮૫