________________
બહુરતમત
નિઠવવાદ
વિવેચન :- શરીરમાં તાવ અતિશય વધારે હોવાથી કંપતા શરીરે જમાલિ શયન માટે સંથારા પાસે આવ્યા અને જોયું તો સંથારો હજુ પથરાતો હતો. પરંતુ પથરાયેલો ન હતો. તે જોઇને તેઓએ કહ્યું કે “યિમાાં ન તમ્, સંસ્તીર્ગમાળો ન સંસ્કૃત:' જે કરાતું હોય તે કર્યું છે આમ ન કહેવાય. તથા જે પથરાતો હોય તે પથરાયો છે આમ ન જ કહેવાય. પરંતુ જે કર્યું હોય તેને જ કર્યું કહેવાય “વિમાળ ન તમ્, વિત્તુ कृतमेव कृतम् "
૧૪
પોતાના આવા વિચારો દઢ થવાના કારણે તેઓએ કહ્યું કે ભગવતીજી આદિ શાસ્ત્રોમાં જે કહ્યું છે કે વનમાળે વૃત્તિ, ત્નિમાળે રિ, વેન્ડ્ઝમાળે વે, જ્ઞાતિ, તત્સર્વ મિથ્યા રૂતિ અભિપ્રાયઃ ॥ ચાલતું હોય તેને ચાલ્યું કહેવાય, ઉદીરણા કરાતી હોય તેને ઉદીરણા કરી કહેવાય અને વેદાતું હોય તેને વેદું કહેવાય. ઇત્યાદિ
વ્યવહાર થાય છે તે સર્વ વ્યવહાર મિથ્યા છે. ખોટો છે આવી પ્રરૂપણા તે કાલે જમાલિએ કરી. અને કહ્યું કે “કરાતુ હોય તેને કરાયું છે આમ માનવામાં ઘણા દોષો આવે છે. તે દોષો કયા ક્યા આવે છે ? તે હવે જણાવાય છે || ૨૩૦૮ ॥
जस्सेह कज्जमाणं कयं ति तेणेह विज्जमाणस्स । करणकिरिया पवन्ना, तहा य बहुदोसपडिवत्ती ॥ २३०९ ॥
ગાથાર્થ :- જે વાદી “કરાતું હોય તેને કરાયું છે” આમ માને છે તેણે વિદ્યમાન પદાર્થની (અર્થાત્ કરાયેલા પદાર્થની) કરણક્રિયા (કરવાની ક્રિયા) સ્વીકારી. તેમ માનવામાં ઘણા દોષો આવે છે. ॥ ૨૩૦૯ |
,,
વિવેચનઃ- જમાલિ કહે છે કે જે વાદીને “કરાતુ હોય તે કર્યું કહેવાય છે.” આવો સ્વીકાર માન્ય છે. તે વાદીને કરાયેલી એવી વિદ્યમાન વસ્તુમાં પણ કરવાની ક્રિયા સ્વીકારેલી થશે સારાંશ કે “કરાતીને જો કરાયેલી છે” આમ જો કહેવાય અને મનાય તો તેનો અર્થ એ થયો કે જે જે વસ્તુ કરાયેલી છે. તે પણ કરાય છે. હવે જો કરાયેલી વસ્તુમાં પણ કરાવા પણાની ક્રિયા માનીએ તો ઘણા દોષો આવે છે તે હવે પછીની ગાથામાં સમજાવાય છે. | ૨૩૦૯ |
“કરાતુ હોય તેને કરાયું છે” આમ માનવામાં બહુ દોષો આવે છે. તે બહુ દોષો આ પ્રમાણે છે.
कयमिह न कज्जमाणं, सब्भावओ चिरंतनघडो व्व ।
अहवा कयं पि कीरइ, किरउ निच्चं न य समत्ती ॥ २३१० ॥
.