________________
પ્રથમ નિર્ભવ જમાલિ
૧૫
ગાથાર્થ :- જે કાર્ય કરાયું હોય તે કરાય છે “આમ ન જ મનાય. કારણ કે તે કાર્ય કરાયેલું હોવાથી સદ્ભૂત છે. વિદ્યમાન છે. પૂર્વકાલમાં કરાયેલા ઘડાની જેમ. અથવા કરાયેલું પણ જો કરાતું જ હોય તો નિત્ય કરાયા જ કરો. ક્યારે ય પણ તેની સમાપ્તિ જ નહી થાય. || ૨૩૧૦ ||
વિવેચન :- “કરાતુ હોય તેને કરાયેલુ છે” વિમાળું વૃતમ્' આમ તમે માનો છો તેનો અર્થ એ થયો કે જે કરાયેલું છે તે પણ કરાય જ છે. વૃતં વિમાળમેવ.
હવે જો જે કાર્ય કરાયેલું છે તે પણ કરાતુ જ હોય તો અનંતકાલ સુધી કરાયા જ કરો. આવો અર્થ થશે. કારણ કે જે કાર્ય કરાયેલું છે અર્થાત્ ત છે. તે તે કાર્ય વિદ્યમાન હોવાથી તમારા કહેવા પ્રમાણે “જો કરાય છે” એટલે કે વિમાળ છે. તો તો ભૂતકાલમાં ઘણા વર્ષો પૂર્વે કરાયેલો ઘટ પણ કરાયા જ કરો. આવો અર્થ થશે. ક્યારેય ક્રિયમાણ પણાની સમાપ્તિ થશે નહીં.
અથવા જો જે કાર્ય કરાયેલુ છે થઈ ચુક્યું જ છે. અર્થાત્ ત છે. તે પણ જો યિમાળ હોય એટલે કે કરાતું હોય તો નિત્ય કરાયા જ કરો, ક્યારેય પણ કાર્યની સમાપ્તિ થશે નહીં. કારણ કે ત પણું તો સદા છે જ તે માટે સદા યિમાળતા જ રહેશે. આવા દોષો તમને આવશે. આમ જમાલિ કહે છે. II ૨૩૧૦ ||
અવતરણ :- કરાતું હોય તેને કરાયું છે આમ માનવામાં શું આટલો એક જ દોષ આવે છે ? તો કહે છે કે ના, એક નહીં પણ ઘણા દોષો આવે છે તે આ પ્રમાણે
किरियावेफल्लं ति य, पूव्वमभूयं च दीसए होंतं ।
दीसइ दीहो य जओ, किरियाकालो घडाईणं ॥ २३११ ॥
ગાથાર્થ :- (૧) ક્રિયાની નિષ્ફળતા; (૨) પૂર્વે ન થયેલું કાર્ય થતું દેખાય છે. (૩) ઘટ વિગેરે કાર્યોનો ક્રિયાકાલ ઘણો દીર્ઘ હોય એમ દેખાય છે. ।। ૨૩૧૧ ||
=
વિવેચન :- જમાલિ પોતાના પક્ષને મજબૂત કરતાં કહે છે કે જે કરાતું હોય તેને કર્યું કહેવાય તો તે કાર્ય ત જ થયું છે. હવે તેને કરાતુ કહેવું તે ઉચિત નથી. જે જે ત હોય તે તો કરાયેલું છે હવે તેને યિમાળ કરાતું માનવું તેમાં ક્રિયાની નિષ્ફળતા જ છે. કારણ કે ત બનાવવા માટે યિા હોય છે. તે કાર્ય જો ત થઈ જ ચુક્યું છે તો તેને યિમાળ કેમ ઘટે ? કાર્ય કરવાની વિમાળતા નિષ્ફળ જ જાય આ એકદોષ કહ્યો (૧)