________________
પ્રથમ નિહ્નવ જમાલિ
બહુરતમત
(૪) સમુચ્છેદવાદ :- મિથિલાનગરીમાં અશ્વમિત્ર નામના મુનિથી આ મત પ્રગટ થયો. પમાત્મા શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૨૨૦ વર્ષો વ્યતીત થયે છતે આ મત થયો. સર્વે પણ વસ્તુઓ ઉત્પન્ન થતાંની સાથે જ બીજા સમયે નાશ જ પામે છે. એક ક્ષણથી વધારે કોઇ પણ વસ્તુ રહેતી નથી. આમ ક્ષણિકવાદ માનનારો આ મત ચોથા નિહ્નવ તરીકે થયો.
(૫) ક્રિયાક્રયવાદ :- ઉલ્લુકાતીર નામના ગામમાં આર્યગંગ નામના આચાર્યથી આ મત પ્રગટ થયો. પરમાત્મા શ્રી મહાવીરસ્વામી પ્રભુ પછી ૨૨૮ વર્ષ ગયે છતે આ મતની ઉત્પત્તિ થઈ. એકસાથે એકજ સમયમાં બે ક્રિયા સાથે હોય છે. નદી ઉતરતાં અર્ધું શરીર પાણીમાં હોવાથી શીતળતા અને અર્ધું શરીર પાણી ઉપર હોવાથી સૂર્યના તાપથી ઉષ્ણતા આમ બે ક્રિયા એકી સાથે આ જીવ અનુભવે છે. માટે બન્ને ક્રિયા સાથે હોય છે આવા પ્રકારનો જે મત તે પાંચમા નિહ્નવની ઉત્પત્તિ જાણવી.
(૬) ત્રરાશિકમત :- અન્તરંજિકા નામની નગરીમાં રોહગુપ્ત નામના મુનિથી આ મત પ્રગટ થયો. શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૫૪૪ વર્ષ વ્યતીત થયે છતે આ મતની ઉત્પત્તિ થઈ. (૧) જીવ. (૨) અજીવ અને (૩) નોજીવ આમ ત્રણરાશિની સ્થાપના કરનારો આ મત છઠ્ઠા નિĀવરૂપે થયો.
(૭) અબદ્ધકર્મવાદ :- દશપુરનગરમાં ગોઠામાહિલ નામના મુનિથી આ મત પ્રવર્તો મહાવીર પ્રભુથી ૫૮૪ વર્ષો વ્યતીત થયે છતે આ સાતમા નિહ્નવ થયા. આત્માની સાથે કર્મ સ્પષ્ટ થાય છે. પરંતુ એકમેક થતું નથી. બંધાતું નથી. અર્થાત્ સંયોગમાત્ર પામે છે. આવી માન્યતાવાળો આ મત સાતમા નિહ્નવરૂપે થયો.
આ સાતે નિર્ણવો ક્યારે થયા ? કેવી રીતે થયા ? ઇત્યાદિ સર્વે પણ હકિકત હવે ગ્રંથકારશ્રી સમજાવે છે. ।। ૨૩૦૦ ॥
હવે જે જે વિચારોથી આ સાત નિર્ણવો થયા છે. તે વિગતવાર ગ્રંથકારશ્રી સમજાવે છેबहुरय जमालिपभवा जीवपएसा य तीसगुत्ताओ । अव्वत्ताऽऽसाढाओ, सामुच्छेआऽऽ समित्ताओ ॥ २३०१ ॥ गंगाओ दो किरिया, छलुगा तेरासिआण उप्पत्ती । थेरा य गोट्ठमाहिल पुट्ठमबद्धं परूविंति ॥ २३०२ ॥