________________
બહુરતમત
નિતવવાદ
વવાદનો પ્રારંભ
बहुरय पएस अव्वत्त सामुच्छा दुग तिग अबद्धिआ चेव । एएसिं निग्गमणं वोच्छामि अहाणुपूव्वीए ॥ २३०० ॥
ગાથાર્થ:- બહુરતવાદ, અન્તિમપ્રદેશવાદ, અવ્યક્તવાદ, સમુચ્છેદવાદ, ક્રિયાતવાદ, ઐરાશિકમત અને અબદ્ધકર્મ આમ ભિન્ન ભિન્ન એકાન્ત માન્યતાવાળા. અનુક્રમે આ સાત નિદ્ભવો થયા // ૨૩૦૦ ||
વિવેચન :- પરમાત્માશ્રી મહાવીર સ્વામીના શાસનમાં અનુક્રમે ૭ + ૧= ૮ નિતવો થયા. પરમાત્મા શ્રી વીતરાગ દેવની કહેલી વાતને છુપાવનારા-પોતાની કલ્પેલી એકાન્ત પ્રરૂપણાને જ જોરશોરથી ગાનારા એવા સાત અને એક, એમ આઠ નિતવો થયા. તે આઠે નિતવો ક્યારે થયા ? ક્યા ગામમાં થયા ? ક્યા વિષયના એકાન્તવિચારણાવાળા થયા ? ઇત્યાદિ વર્ણન આ પ્રમાણે છે. (૧) બહુરતમત-શ્રાવસ્તી નગરીમાં જમાલિદ્વારા આ મત થયો. પરમાત્મા શ્રી મહાવીરસ્વામીને
કેવળજ્ઞાન પ્રગટ થયા બાદ ૧૪ વર્ષ પસાર થયાં ત્યારે આ મત પ્રગટ થયો. એક સમયમાં કાર્ય થતું નથી. પણ બહુ સમયમાં જ કાર્ય થાય છે. દીર્ઘકાલમાં જ વસ્તુની ઉત્પત્તિ છે.
આવી પ્રરૂપણા કરનારા જમાલિ આ પ્રથમ નિદ્ભવ થયા. (૨) એકપ્રદેશવાદઃ- ઋષભપુર નગરમાં, શ્રી તિષ્યગુપ્ત નામના આચાર્ય દ્વારા આ મત
થયો. શ્રી મહાવીરસ્વામી પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થયા બાદ ૧૬ વર્ષે આ મત પ્રગટ થયો. અન્તિમ એક પ્રદેશમાં જ જીવદ્રવ્ય છે. આમ માનનાર આ બીજા
નિદ્વવ થયા. (૩) અવ્યક્તવાદ :- જેતવિકા નગરીમાં આષાઢભૂતિ મુનિ દ્વારા આ મત થયો.
પરમાત્મા શ્રી મહાવીર સ્વામી પ્રભુ નિર્વાણ પામ્યા પછી પ્રભુજીના નિર્વાણથી ૨૧૪ વર્ષ વ્યતીત થયે છતે આ મત પ્રગટ થયો. કોણ સંયમી છે અને કોણ અસંયમી છે ? આ વાત આપણે જાણી શકતા નથી. એટલે કોઇએ કોઇને વંદનાદિ વ્યવહાર કરવો નહીં. આવા પ્રકારની દષ્ટિવાળો આ મત તે ત્રીજા નિદ્ભવ થયા.