SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નિĀવવાદનીપ્રસ્તાવના ગાથાર્થ :- અથવા કોઇક શિષ્ય પ્રશ્ન કરે છે કે આર્યરક્ષિત સૂરિજી ગુરુભગવંતે નયોના અનુયોગને છુપાવી દીધો.તો તેઓને નિર્ભવ કેમ ન કહેવાય ? “નયોના અનુયોગ જ નથી.” આ પ્રમાણે તેઓ કહેતા નથી. પરંતુ કાળના પ્રભાવથી શિષ્યો તેવા બુદ્ધિશાળી નથી માટે નયોનો અનુયોગ કરાતો નથી. છુપાવાયો છે. અને તે પણ પ્રવચનના હિત માટે જ આમ કર્યું છે. પણ મિથ્યાત્વના અભિનિવેશથી આમ કરાયું નથી. જે આત્મા મિથ્યાત્વના અભિનિવેશથી પરમાત્માએ કહેલા એક પણ પદને ન માને અને છુપાવે તો તે મિથ્યા અભિનિવેશવાળા હોવાથી બહુરત આદિની જેમ નિહ્નવ કહેવાય છે. ।। ૨૨૯૮-૨૨૯૯ || ૫ વિવેચન - અહીં સ્વાભાવિક પણે જ એક પ્રશ્ન થાય છે કે પૂજ્ય આર્યરક્ષિતસૂરિજી મહારાજશ્રીએ જો નયોના અનુયોગને છુપાવી દીધો હોય તો તેઓને નિર્ભવ કેમ ન કહેવાય ? કારણ કે વીતરાગ ભગવંતે કહેલી કોઈ પણ વાતને જો છુપાવવામાં આવે તો ભગવંતે તેવા જીવને નિહ્નવ કહ્યા છે. તો પૂછ્યું આર્યરક્ષિતસૂરિ મહારાજશ્રી શું નિર્ભવ હતા? આવો પ્રશ્ન કદાચ થાય. તો તેનો ઉત્તર સમજવો કે પૂજ્ય આર્યરક્ષિતસૂરિજી મહારાજે કંઈ માનાદિની બુદ્ધિથી આ કામ કર્યું નથી. પરંતુ વીતરાગ પ્રભુના પ્રવચનના હિત માટે જ ભાવિમાં આવતા વિસ્મરણશીલ કાળને જાણીને ચતુર્વિધ શ્રીસંઘના હિત માટે જ ચાર અનુયોગો છુટા પાડીને પ્રવચનના કલ્યાણ માટે જ આ કામ કર્યું છે છુપાવવાની બુદ્ધિથી કર્યું નથી. માટે નિર્ભવ નથી. પણ શાસનના પ્રભાવક પુરુષ છે. તેઓશ્રી મિથ્યા અભિનિવેશવાળા ન હતા. અને મિથ્યા અભિનિવેશથી આ કાર્ય કર્યું નથી. પરંતુ વીતરાગ પ્રભુનું પ્રવચન ઝાઝો સમય ટકે અને ભાવિમાં થનારા અલ્પબુદ્ધિવાળા જીવો પણ આ શાસનનો આશ્રય પામીને કલ્યાણ સાધે આવી ઉમદા ભાવનાથી આ કાર્ય ભાવિના હિત માટે જ કર્યું છે. માટે જૈન શાસનના પ્રભાવક થયા છે. હવે અહીં પ્રશ્ન થાય છે કે તેઓશ્રીએ આ કાર્ય જૈનશાસનની પ્રભાવના માટે જ જો કર્યું છે પરંતુ કોઈ અભિમાનાદિથી આ કાર્ય કર્યું નથી. તથા તેઓશ્રીની દુર્બલિકાપુષ્પમિત્રને આચાર્યપદે સ્થાપન કરવાની કાર્યવાહી જોઇને ગોઠામાહિલ જે મિથ્યા અભિમાનથી સાતમા નિવ થયા. એમ કહ્યું. ત્યાં પ્રશ્ન થાય છે કે મહાવીર પ્રભુના શાસનમાં બીજા ક્યા ક્યા નિહ્નવો થયા ? અને તેઓએ મહાવીર પ્રભુની કઈ કઈ વાત છુપાવી. તે અમને બરાબર નામ અને પ્રમાણપૂર્વક સમજાવો. || ૨૨૯૮|૨૨૯૯ ||
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy