________________
બહુરતમત
નિહ્નવવાદ ગાથાર્થ :- જમાલિ નામના મુનિથી “બહુરત” નો નિતવવાદ થયો. (૧) તિષ્યગુપ્ત નામના આચાર્ય દ્વારા “જીવપ્રદેશ” નામનો નિતવવાદ થયો. (૨) અષાઢાભૂતિ નામના મુનિથી “અવ્યક્તવાદ” નામનો નિહ્નવવાદ થયો. (૩) અમિત્ર નામના આચાર્યથી સામુચ્છેદવાદ નામનો નિતવવાદ શરૂ થયો (૪). / ૨૩૦૧ //
ગંગ નામના મુનિથી “ક્રિક્રિયાવાદ” નામનો નિહ્નવવાદ શરૂ થયો (૫) પડલૂક નામના મુનિથી “ઐરાશિકમત” નામનો નિતવવાદ શરૂ થયો. (૬) અને સ્થવિર એવા શ્રી ગોઠામાહિલ નામના મુનિથી “સ્પષ્ટાબધ્ધકર્મવાદ” આ નામનો નિહ્નવવાદ શરૂ થયો. (૭) આમ જુદા જુદા સાત નિકૂવો થયા. / ૨૩૦૨ ||
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના શાસનમાં પરમાત્માની વાતને ન માનનારા અને પોતાની રીતે મનસ્વીપણે શાસ્ત્રના અર્થની પ્રરૂપણા કરનારા મુખ્યત્વે સાત નિદ્વવો થયા. તેનાં નામો તથા તેમના સિદ્ધાન્તો આ પ્રમાણે છે.
(૧) પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાન થયા બાદ ૧૪ વર્ષે જમાલિ નામના પ્રભુના શિષ્ય દ્વારા શ્રાવસ્તીનગરીમાં “બહુરત” નામના મતની ઉત્પત્તિ થઈ.
(૨) પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાન થયા બાદ ૧૬ વર્ષે તિષ્યગુપ્ત નામના આચાર્યથી ઋષભપુર નામના નગરમાં “જીવપ્રદેશ” નામનો નિહ્નવવાદ શરૂ થયો.
(૩) પરમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૨૧૪ વર્ષે આષાઢાભૂતિ નામના મુનિથી શ્વેતવિકા નગરીમાં “અવ્યક્તવાદ” નામનો નિહ્નવવાદ શરૂ થયો.
(૪) પરમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૨૨૦ વર્ષો ગયે છતે અશમિત્ર નામના આચાર્યશ્રીથી મિથિલાનગરીમાં “સામુચ્છેદવાદ”નામનો નિહ્નવવાદ શરૂ થયો.
(૫) પરમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૨૨૮ વર્ષો ગયે છતે ઉલુકા તીર નામના ગામમાં આર્યગંગનામના આચાર્યશ્રીથી “ક્રિક્રિયાવાદ” નામનો નિહ્નવવાદ શરૂ થયો.
(૬) પરમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૫૪૪ વર્ષો ગયે છતે અંતરંજિકા નામની નગરીમાં “રોહગુપ્ત” નામના મુનિથી “બૈરાશિકમત” આ નામના છઠ્ઠા નિદ્વવની ઉત્પત્તિ થઈ.
(૭) પરમાત્માશ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૫૮૪ વર્ષે ગયે છતે ગોઠામાહિલ