________________
૨૦૨ દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ ત્યારબાદ ગામની બહાર ઉદ્યાનમાં વ્યવસ્થિત થયા. ત્યાં તે શિવભૂતિ મુનિની ઉત્તરા નામની બહેન વન્દન માટે આવી. વસ્ત્ર વિનાના પોતાના તે ભાઈને જોઇને પોતે પણ તેમના જ માર્ગને અનુસરવાની ઇચ્છા વાળી થઈ છતી સ્વયં પોતે પણ વસ્ત્રોનો ત્યાગ કરનારી બની.
ત્યારબાદ નગ્ન એવાં તે સાધ્વીજી ભિક્ષા માટે નગરની અંદર પ્રવેશ્યાં. એક ગણિકા વડે તે સાધ્વીજીને જોવાયાં ત્યાર પછી આ રીતે વસ્ત્ર વિનાનાં અને બીભત્સ દેખાતાં આ સાધ્વીજીને જોઇને “સંસારી લોકો અમારા ઉપર (વેશ્યાઓ ઉપર) વૈરાગી ન બની જાય” એવા આશયથી આ સાધ્વીજી વસ્ત્ર ઇચ્છતા નથી તો પણ તે વેશ્યાએ તે સાધ્વીજીને વસ્ત્ર પહેરાવ્યું-ઓઢાડ્યું.
આ સઘળી હકિકત તે સાધ્વીજી વડે શિવભૂતિ મુનિને કહેવાઈ. તેથી આ શિવભૂતિ મુનિ વડે “વસ્ત્ર વિનાની સ્ત્રી અત્યન્ત બીભત્સ અને અતિશય લજ્જનીય બને છે.” એમ વિચારીને આ સાધ્વીજીને કહેવાયું કે “હવે આ વસ્ત્રને તમે તમારા શરીર ઉપર રહેવા દો. તમારે આ વસ્ત્ર ત્યજવું નહીં તમને આ વસ્ત્ર દેવોએ આપેલું છે. આમ કહીને સ્ત્રીવર્ગને વસવાળા રહેવાનો વ્યવહાર ચાલુ રાખ્યો.
ત્યાર બાદ તે શિવભૂતિ મુનિને કૌન્ડિન્ય અને કોફ્ટવીર નામવાળા બે શિષ્યો તેમની પાસે દીક્ષિત થયા. આ રીતે દિગંબર મતની ઉત્પત્તિ થઈ.
ગાથાના પદોના અર્થો આ પ્રમાણે છે કૌષ્કિન્ય અને કોટ્ટવીર છે નામ જેઓનાં એવા આ શિષ્યો થયા “સર્વે પણ દ્વન્દ સમાસ વિવેક્ષાથી એકવચન પણ થાય છે.” આવો નિયમ હોવાથી વીડિચ વીર થયું છે. તે કૌષ્કિન્ય અને કોફ્ટવીર નામના બન્નેને પરસ્પર સ્પર્શેલી એવી આચાર્ય અને શિષ્યોના સંબંધને આશ્રયીને બોટિકદષ્ટિ (દિગંબરપણાની દષ્ટિ) ઉત્પન્ન થઈ. (આમ કેટલાક ખુટતા શબ્દો અધ્યાહારથી લઈને અર્થ કરવો). આ પ્રમાણે બોટિકની (દિગંબરની) ઉત્પત્તિ સમજાવી. ર૫૫૧-૨૫પરા
અવતરણ - હવે ભાષ્યકાર મહારાજ કહે છે કે - उवहि विभागं सोउं, सिवभूई अज्जकण्हगुरुमूले । નિપપ્પયાફિયા", મરૂ ગુરૂં “લીસ નેયા”િ | રબર છે "जिणकप्पोऽणुचरिज्जइ ?" वोच्छिन्नो त्ति भणिए पुणो भणइ । तदसत्तस्सोच्छिज्जउ, वुच्छिज्जइ किं समत्थस्स ॥२५५४ ॥
ગાથાર્થ - ઉપધિના વિભાગ (૨-૩-૪-૫-૯-૧૦-૧૧ અને ૧૨ એમ આઠ પ્રકારની