________________
અષ્ટમ નિતવ શિવભૂતિ મુનિ
૨૦૩ ઉપધિના વિભાગ) સાંભળીને તથા આચાર્યશ્રી આર્યકૃષ્ણની પાસે જિનકલ્પિક મુનિઓનું સ્વરૂપ સાંભળીને શિવભૂતિ મુનિ પોતાના ગુરુજીને કહે છે કે “આવા પ્રકારનો આ જિનકલ્પ અત્યારે કેમ આચરણ નથી કરાતો? ત્યારે ગુરુજી કહે છે કે હાલ તે માર્ગ વિચ્છેદ પામ્યો છે. આમ ગુરુજી દ્વારા કહેવાય છતે શિવભૂતિ ફરીથી કહે છે કે “અશક્ત
જીવોને આશ્રયી તે માર્ગ ભલે વિચ્છેદે પામ્યો હોય. પરંતુ સમર્થને આશ્રયી તો કેમ વિચ્છેદ પામે ? (અર્થાત્ ચાલુ જ રહેવો જોઈએ.) || ૨૫૫૩-૨૫૫૪ |
વિવેચન :- શાસ્ત્રમાં આવતા ઉપધિના વિભાગો (૨-૩-૪ વિગેરે) સાંભળીને શિવભૂતિને મનમાં શંકા થઈ અને ગુરુજી શ્રી આર્યકૃષ્ણ આચાર્યને તેઓએ પૂછ્યું.
આ કાળે આવો જિનકલ્પ કેમ સ્વીકારાતો નથી ? ત્યારે ગુરુજીએ કહ્યું કે શરીરમાં સંઘયણ આદિનું બળ તેટલું ન હોવાથી વર્તમાનકાળે આ માર્ગ વિચ્છેદ પામ્યો છે. ત્યારે શિવભૂતિ બોલ્યા કે “હું હોતે છતે તે જિનકલ્પ વિચ્છેદ પામ્યો” કેમ કહેવાય ? હું જ તે જિનકલ્પ આચરીને બતાવીશ કે હજુ આ કાળે પણ કોઈ કોઈ જીવો આ માર્ગ આચરી શકે છે.
આમ કહીને તેઓએ આ માર્ગનો પ્રારંભ કર્યો છે. ર૫૫૩-૨૫૫૪ || पूव्वमणापुच्छच्छिण्ण, कंबल कसाय कलुसिओ चेव । સો વે પરિફિકે, સાથે-મુછા-મામાં છે રહ૫ છે दोसा जओ सुबहुया, सुए य भणियमपरिग्गहत्तं ति । जमचेला य जिणिंदा, तदभिहिओ जं च जिणकप्पो ॥ २५५६ ॥ जं च जियाचेलपरिसहो, मुणी जं च तीहिं ठाणेहिं । वत्थं धरिज्ज नेगंतओ, तओऽचेलया सेया ॥ २५५७ ॥
ગાથાર્થ - પહેલાં ગુરુજીને પૂછ્યા વિના જ વસ્ત્રનો ત્યાગ કરીને કષાયથી કલુષિત થયેલો તે શિવભૂતિ ગુરુજીને કહે છે કે પરિગ્રહ રાખવાથી કષાય થાય, મૂછ થાય, તથા ભય આદિ બીજા પણ ઘણા દોષો થાય. | ૨૫૫૫ /
આ પ્રમાણે પરિગ્રહ (વસ્ત્રાદિ) રાખવાથી ઘણા ઘણા દોષો થાય છે. માટે જ શાસ્ત્રમાં સાધુને અપરિગ્રહપણું જ કહેવું છે (એટલે કે વસ્ત્ર પણ ન રાખવું જોઇએ). જે કારણથી તીર્થકર ભગવંતો પણ અચેલક જ હતા તથા જે કારણથી જિલકલ્પ પણ (અચેલક જ) કહેલો છે. તે જ સ્વીકારવો જોઇએ. / ૨૫૫૬ .