________________
સપ્તમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૮૯ તથા વળી સિદ્ધ પરમાત્મા પણ સાધુ જ કહેવાશે. કારણ કે તેમણે જયારે આ ભવમાં દીક્ષા લીધી ત્યારે જ ભાવિના સર્વ અનાગતકાલ સુધી હું આ વ્રત પાળીશ. એવી પ્રતિજ્ઞા કરી છે તેથી મોક્ષે જવા છતાં પણ આ વ્રતનો નિયમ ચાલુ જ રહેશે એટલે ત્યાં પણ તે આત્માને સાધુ જ કહેવાશે. જે બરાબર નથી. કારણ કે શાસ્ત્રોમાં તો “સિદ્ધ નો સંગા, નો પ્રસંગg, નો સંગ " આવુ શાસ્ત્રવચન હોવાથી સિદ્ધ પરમાત્માને “સાધુ પણ ન કહેવાય. અસાધુપણ ન કહેવાય અને સંયતાસંયત પણ ન કહેવાય આવુ શાસ્ત્ર વચન છે.
તથા વળી બીજો પણ દોષ આવે છે તે ક્યો દોષ આવે છે? આવું જો કોઈ પુછે તો કહે છે કે ઉત્તરગુણસંવરણનો (નાના નાના કાળનાં જે પચ્ચખાણો છે તેનો) સર્વથા અભાવ જ થશે.
નવકારશી પૌરષી-સાઢપોરિસી. પુરિમઢ ઇત્યાદિ કાળનાં પચ્ચખ્ખાણો તથા એકાસણુ, બેસણુ, આયંબિલ, ઉપવાસ-છઠ્ઠ-અઠ્ઠમ ઇત્યાદિ નાનાં-મોટાં કોઈ પણ પચ્ચક્કાણો તમારા મતે ઘટશે નહીં. કારણ કે જો સપરિમાણ શબ્દનો અર્થ “યાવદ્ ભાવિકાલ તાવ આવો અનંતકાળ જ અર્થ કરીએ તો ઉપરનાં સર્વ અલ્પકાળવાળાં પચ્ચખાણો સંભવશે નહીં. સર્વ પ્રકારનાં આ પચ્ચખાણોનો તો લોપ જ થઈ જશે. આ અર્થ પણ ઉચિત નથી. ર૫૩૮-૨૫૩૯
અવતરણ - હવે “મોર” આવો ત્રીજો પક્ષ જે લેવામાં આવે તો દોષ આવે જ છે. તે બતાવતાં કહે છે કે :
अपरिच्छेए वि समाण एस दोसो जओ सए तेणं । वय भंग भयाच्चिय जावज्जीवं ति निद्दिढं ॥ २५४० ॥
ગાથાર્થ - અપરિચ્છેદ રૂપ અપરિમાણ સ્વીકારવામાં પણ જે કારણથી શાસ્ત્રોમાં સમાન જ દોષ કહેલો છે. તે કારણથી વ્રત ભંગ થવાના ભયથી જ “પાવવજજીવનું” પચ્ચખ્ખાણ શાસ્ત્રકારોએ કહેલું છે. || ૨૫૪૦ ||
| વિવેચના:- હવે મા શબ્દનો અર્થ ગરિકે જો કરો તો છે એટલે અંત ન હોવો. અર્થાત્ અનંત આવો અર્થ થાય. તેથી ભાવિના સર્વ કાળ સુધીનું પચ્ચખ્ખાણ આવો અર્થ થાય. આવો અર્થ થવાથી સર્વ અનાગત કાળના પચ્ચક્માણમાં જે દોષ પૂર્વે કહ્યો. તે જ દોષ અહીં લાગે. બન્ને પક્ષના અર્થ સરખા જ છે. તેથી દોષ પણ સમાન જ આવે. તે આ પ્રમાણે -