SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ અબદ્ધ કર્મવાદ નિતવવાદ કાલના અપરિચ્છેદવાળું એટલે કે કાળની સીમા વિનાનું પચ્ચક્માણ કરીએ તો શું એક ઘડી જેટલો કિંચિત કાલ રાહ જોઇને પછી પચ્ચક્માણ પાળવું. કે સર્વભાવિકાળ સુધીનું પચ્ચખ્ખાણ સમજવું ? આવા બે પ્રશ્નો થશે ? ત્યાં જો પ્રથમપક્ષ લઈએ તો અનવસ્થા દોષ આવે. કારણ કે કોઈ માપ તો કર્યું જ નથી. તેથી જેમ એક ઘડી પચ્ચખાણ કરાય. તેમ ક્યારેક બે ઘડી સુધીનું પણ પચ્ચશ્માણ થાય તથા ક્યારેક ત્રણ ઘડી સુધીનું પણ પચ્ચક્માણ થાય. આમ અનવસ્થા જ રહેશે. કોઈ નિયત કાળમર્યાદા રહેશે નહીં. કોણે ક્યારે પચ્છખાણ પાળવું તેનો નિયમ રહેશે નહી. હવે જે બીજો પક્ષ લેવામાં આવે તો મૃત્યુ પામ્યા બાદ દેવલોકાદિમાં ગયા પછી ત્યાં ભોગોને ભોગવતાં વ્રતભંગ જ થાય. કારણ કે ભાવિના સર્વકાળનું પચ્ચક્માણ કર્યું હતું અને ભોગો ભોગવ્યા. એટલે કે વ્રતભંગ જ થયો. તથા સિદ્ધના જીવને પણ સાધુપણુ આવશે કારણ કે ભાવિના અનંતકાળનું આ પચ્ચક્માણ કર્યું છે એટલે સિદ્ધ અવસ્થા પામવા છતાં આ પચ્ચક્માણ ચાલું જ રહેશે. જેથી સિદ્ધને પણ સાધુ અવસ્થા ચાલુ જ રહેશે. તથા ઉત્તરગુણોનો અને સંવરણનો અભાવ. એ દોષ પણ આવશે. ભાવિના થાવત્કાલનું પચ્ચખ્ખાણ કરેલ હોવાથી પૌરષિ-સાઢપૌરિષી પુરિમઢ-એકાસણ-આયંબિલઅને ઉપવાસ આદિ ઉત્તરગુણ સ્વરૂપ તપ કરવાનો રહેશે જ નહીં. આ ઉત્તરગુણનો અભાવ નામનો દોષ આવશે. તથા બહુ આગારો વાળ લીધેલું પચ્ચખ્ખાણ ભોજન કર્યા પછી સંક્ષેપીને અલ્પ આગારવાળું કરવું તે સંવરણ. તેનો પણ અભાવ જ થશે.કારણ કે ભાવિ એવા અનંતકાળનું જ પચ્ચખાણ હોવાથી સંક્ષેપવાનું રહેતું જ નથી. આવા આવા ઘણા દોષો આ પક્ષમાં લાગશે. તે કારણથી અપરિમાણ પચ્ચખાણ કરવામાં આવા આવા દોષો સંભવતા હોવાથી લીધેલા વ્રતનો ભંગ થશે એવા ભયથી આ ત્રણે પક્ષો ત્યજીને આગમમાં આમ કહેલું છે કે સવં સાવળ્યું નો પર્વવામિ ના વળવા આ પ્રમાણે સાધુ મહાત્માઓને આ ચાલુ શરીરમાં જીવ આવે ત્યાં સુધીનું જ પચ્ચખાણ આ આત્મા કરે છે. તેથી પરિમાણ વાળું જ પચ્ચખ્ખાણ કહેલું છે. તેથી અપરિમાણનો આગ્રહ છોડી દો. આ પ્રમાણે પચ્ચક્માણ માવજીવનું એટલે ચાલુ ભવ સમાપ્ત થાય ત્યાં સુધીનું જ કરાવાય છે. ll૨૫૪ના અવતરણ :- કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે કે જે સપરિમાણ (કાળના માપવાળું) પચ્ચાર કરીશું તો આશંસા લક્ષણવાળો દોષ આવશે. જ્યારે આ પચ્ચાસ સમાપ્ત થશે ત્યારે હું આ વસ્તુનો ઉપભોગ કરીશ. આવી ખાવા-પીવાની જે ઈચ્છા તે આશંસા. તે દોષવાળું આ પચ્ચસ્માણ થશે.) ત્યાં સમજવે છે :
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy