SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ અબદ્ધ કર્મવાદ નિહ્નવવાદ ' આમ વિધ્યમુનિ સમજાવતા હતા. તો પણ ગોઠામાહિલે શંકા કરી એટલે વાસ્તવિક વાતનો પરમાર્થ જાણવા માટે વડીલ ગુરુજી શ્રી દુર્બલિકાપુષ્પમિત્રને વિધ્યમુનિએ પૂછ્યું. ગુરુજીએ યથાર્થ ઉપદેશપૂર્વક સમજાવ્યું. તે સઘળી વાત આવીને વિધ્યમુનિએ ગોષ્ઠામાહિલને કહી. પરંતુ ગોઠામાહિલ તે વાત સ્વીકારતા નથી. ત્યારે ગુરુજી શ્રી દુર્બલિકાપુષ્પમિત્ર પોતે જ આવીને તે ગોઇમાહિલને સમજાવે છે. પરંતુ તે ગોષ્ઠામાહિલ જ્યારે યથાર્થ અર્થ નથી જ સ્વીકારતા. ગુરુજીએ કહ્યું કે આયુષ્ય પૂર્ણ થાય પછી આ જીવ ક્યાં જાય તે નિશ્ચિત નથી. અને મૃત્યુ પછી શુદ્ધિબુદ્ધિ બરાબર હોય એવો નિયમ નથી. માટે જ્ઞાનીઓએ માવજીવ સુધીનાં જ પચ્ચશ્માણ કરવાનું કહ્યું છે. આ બાબતમાં કંઈ પરભવના સુખની કામના નથી. માટે માવજીવનું વિધાન જ બરાબર છે. આમ ગુરુજી વડે સમજાવાયા. પણ તેઓએ ન સ્વીકાર્યું છે ૨૫૨૧ ||. અવતરણ - ગુરુજી વડે આવીને શું સમજવાવું? તે કહે છે :किं कंचुओव्व कम्मं, पइपएसमह जीवपज्जते । पइदेसं सव्वगयं, तदंतरालाणवत्थाओ ॥ २५२२ ॥ अह जीवबर्हि तो नाणुवत्तए तं भवंतरालम्मि । तदनुगमाभावाओ, बज्झंगमलोव्व सुव्वत्तं ॥ २५२३ ॥ एवं सव्वविमुक्खो, निकारणउव्व सव्वसंसारो । भवमुक्काणं च पुणो संसरणमओ अणासासो ॥ २५२४ ॥ ગાથાર્થ - ગુરુજી ગોઇમાહિલને સમજાવે છે કે જે તમે કંચુકની જેમ આત્મા ઉપર કર્મ સ્પર્શેલાં જ માત્ર છે પરંતુ બંધાયાં નથી. આવું તમારા વડે જે કહેવાય છે તો તે બાબત આપણે વિચારણા કરીએ. તે આ પ્રમાણે :- શું આ કર્મ કંચુકની જેમ જીવને સ્પર્શેલું પ્રત્યેક પ્રદેશમાં રહેલું છે કે જીવના પર્યન્તભાગમાં જ રહેલું છે અને તેને સ્પષ્ટ કહેવાય છે ? જે પ્રતિપ્રદેશે રહેલું હોવાથી ઋષ્ટ તરીકે મનાતું હોય તો આ જીવમાં કર્મ સર્વત્ર વ્યાપ્ત થશે. આકાશની જેમ. સર્વત્ર વ્યાપ્ત કેમ થશે ? તો તે જીવનો જે અંતરાલભાગ વચ્ચે વચ્ચેનો ભાગ) છે. તે પણ કર્મથી અવ્યાપ્ત ન રહેવાથી. કર્મ વિનાનો કોઈ પણ ભાગ શેષ ન રહેવાથી કર્મ સર્વ પ્રદેશોમાં રહેલું જ છે આમ સિદ્ધ થશે જ. પ્રત્યેક આત્મપ્રદેશોમાં કર્મ વર્તત છતે કોઈ પણ મધ્યભાગ બાકી રહેતો જ નથી. કે જેથી કર્મનું ત્યાં અસર્વગતત્વ સિદ્ધ થાય.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy