SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ મુનિ ૧૭૩ સમજવી. ત્યાં પચ્ચખાણ એ સર્વજ્ઞ ભગવંતોએ જણાવેલ છે. ઈત્યાદિ સૂત્રપાઠોમાં શ્રદ્ધા આદિનું વ્યાખ્યાન કરાવે છતે ભાવવિશુદ્ધિ એમ છઠ્ઠા ભાગનું જે વ્યાખ્યાન છે. તે પ્રસ્તુત વિષયમાં ઉપયોગી છે. માટે તે દર્શાવાય છે. रागेण व दोसेण व, परिणामेन व न दृसियं जं तु । तं खलु पच्चक्खाणं, भावविशुद्धं मुणेयव्वं ॥ १ ॥ ગાથાર્થ - રાગથી, દ્વેષથી, કે અધ્યવસાય સ્થાનથી જે પચ્ચકખાણ દૂષિત ન હોય તે જ પચ્ચશ્માણ ભાવવિશુદ્ધ પચ્ચક્કાણ છે આમ સમજવું. આ પ્રમાણે વિવાદને પામેલા એવા ગોઠામાહિલ વડે જે પૂર્વપક્ષ કરાયો હતો તેનો વિધ્યમુનિએ ગુરુપાસે જઇને દુર્બલિકાપુષ્પમિત્રને નિવેદિત કર્યો ગુરુજી શ્રી દુર્બલિકા પુષ્પમિત્ર વડે ઉત્તરપક્ષભૂત સર્વ પણ ઉત્તર તે વિધ્ય મુનિને કહેવાયો. તે વિધ્યમુનિ વડે પણ ગોઇમાહિલ પાસે જઈને ગુરુજી વડે કહેવાયેલો સર્વ પણ ઉત્તર યથાસ્થિત કહેવાયો. પરંતુ તે ગોઠામાહિલ મિથ્યા અભિમાનયુક્ત હોવાથી અતિશય આવેશવાળા છે. જ્યારે તે કંઈ પણ સાચી વાત સ્વીકારતા નથી. ત્યારે ગુરુજી દુબલિકાપુષ્પમિત્ર પોતે જાતે સ્વયં સામે આવીને ગોઠામાહિલને સમજાવે છે . ૨૫૨૦ || અવતરણ :- તિવેલ આ જ વાત ગ્રંથકારશ્રી કહે છે. विझपरिपुच्छियगुरूवएसकहियं पि न पडिवन्नो सो । जाहे, ताहे गुरुणा सयमुत्तो पूसमित्तेणं ॥ २५२१ ॥ ગાથાર્થ - વિધ્ય નામના મુનિ વડે ગુરુજી શ્રી દુબલિકા પુષ્પમિત્રને પુછાયું તેઓએ સાચી વાતનું કથન કર્યું. તો પણ તે ગોઠામાહિલ જ્યારે માનતા નથી. ત્યારે ગુરુજી દુર્બલિકાપુખ્ત મિત્ર સ્વયં પોતે આવીને તેમને સમજાવે છે . ૨૫૧ | વિવેચન - ગાથાના અર્થ પ્રમાણે સુગમ છે. વિધ્ય નામના મુનિ કે જે સાધુઓને ભણાવતા હતા કે સાવઘયોગનાં પચ્ચખાણ માવજીવનાં જ કરાય. કારણ કે મૃત્યુ બાદ આ જીવ ક્યાં જાય તે નક્કી નથી અને ભવોપગ્રાહી કર્મો ભવાન્તર થવાના કારણે ઉદયમાં આવે તેથી ચારિત્રમોહનીય કર્મ પણ ઉદયમાં આવે. આ આત્મા શુદ્ધિબુદ્ધિ વાળો હોય નહીં. માટે જ્ઞાનીઓએ જે કહ્યું છે તે માવજીવ સુધીનું જ પચ્ચકખાણ આપણાથી કરાય. તેમાં પરભવના સુખની કંઈ જ આશા કે ઇચ્છા નથી. પરંતુ પરભવ આપણા હાથમાં નથી. તેથી માવજીવ સુધીમાં જ પચ્ચકખાણ કરાય.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy