________________
ષષ્ઠમ નિર્ભવ રોહગુપ્ત મુનિ
૧૩૧
તેથી “નોજીવ” નામની ત્રીજી રાશિ છે જ, યુક્તિદ્વારા અને આગમ દ્વારા સિદ્ધ થાય જ છે તે માટે, જીવ અજીવ આદિ ઉભયપદાર્થની જેમ આ ત્રીજી રાશિ પણ છે. આ પ્રમાણે રોહગુપ્તે ગુરુજીની સામે નોજીવ નામની ત્રીજીવસ્તુની નિર્ભયપણે સિદ્ધિ કરી.
||૨૪૬૧-૨૪૬૨ ||
અવતરણ :- તે આ પ્રમાણે લૂક વડે (રોહગુપ્ત મુનિ વડે) કહેવાયે છતે ગુરૂ મહારાજશ્રી તેને પ્રત્યુત્તર કહે છે કે
अह ते सुयं पमाणं तो रासी तेसु तेसु सुत्तेसु ।
दो जीवाजीवाणं न सुए नोजीवरासित्ति ॥ २४६३ ॥
ગાથાર્થ :- હે રોગુપ્ત ! જો તને શ્રુત (સૂત્ર) જ વધારે પ્રમાણ છે. આમ લાગે જ છે. તો તે તે આગમસૂત્રોમાં પણ જીવ અને અજીવ એમ બે જ રાશિ બતાવેલ છે. પરંતુ નોજીવ નામની ત્રીજી રાશિ ક્યાંય બતાવેલી નથી. (માટે પણ તારી વાત બરાબર નથી.) ॥ ૨૪૬૩ ||
વિવેચન ઃધમ્માનવિહાવેત્તઓ વ" ઇત્યાદિ જણાવેલા સૂત્રપાઠથી હે રોહગુપ્ત મુનિ ! તું સૂત્રને પ્રમાણ માનવાવાળો છે તો ખરેખર સાચે જ તને સૂત્રની જ વધારે પ્રમાણતા લાગતી હોય તો તે તે આગમસૂત્રોમાં જીવ અને અજીવ એમ બે જ રાશિ જણાવેલી છે. (પરંતુ ક્યાંય નોજીવ સાથે ત્રણ રાશિ બતાવેલી નથી.) ત્યાં ઠાણાંગસૂત્રનો પાઠ આ પ્રમાણે છે ‘‘તુવે રાક્ષી પદ્મત્તા, તં નહીં- નીવા ચેવ, અનીવા ચેવ ।'' જીવોની બે જ રાશિ ભગવન્તે કહેલી છે. તે આ પ્રમાણે (૧) જીવરાશિ અને (૨) અજીવરાશિ, તથા અનુયોગ દ્વારસૂત્રમાં પણ કહ્યું છે કે “વિજ્ઞા નું મત્તે । વળ્યા પન્નત્તા ? ગોયમા! વિા પન્નત્તા, તે ના-પીવ∞ા ય, અનીવડ્વા યૂ'
તથા વળી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે “ખીવા ચેવ અનીવા ય, સ તોડ્ વિવાહિÇ' ઇત્યાદિ અન્ય સૂત્રોમાં પણ આ પ્રમાણે છે બે રાશિનો જ ઉલ્લેખ મળે છે. પરંતુ ત્રણ રાશિનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી.
નોરાશિ નામનો ત્રીજો પક્ષ તો શ્રુતમાં ક્યાંય કહેલો મળતો નથી. તેથી તે ત્રીજી રાશિ હોવાની જે પ્રરૂપણા તું કરે છે. તે શ્રુતની આશાતના છે. તે કેમ ન કહેવાય ? ધર્માસ્તિકાયાદિનો જે દેશભાગ છે. તે દેશભાગ ધર્માસ્તિકાયાદિથી કંઇ ભિન્ન નથી. વિવક્ષા માત્રથી સમજાવવા માટે જ તેનું ભિન્નભેદ તરીકે ઉપાદાન કરેલું છે. માટે તારી આ કલ્પના બરાબર નથી સૂત્રવિરૂધ્ધ જ છે. ||૨૪૬૩ ॥