________________
૧૧૪
ક્રિયાદ્રયવાદ
નિહ્નવવાદ થાય તેમાં કંઈ અઘટિત નથી. તેથી એકી સાથે અને (ઘણા) ઉપયોગનો નિષેધ કરીને અમારા વડે શું કહેવાય છે ? તે જણાવે છે કે “આ છાવણી છે. આ ગામ છે ઇત્યાદિના ઉપયોગ કાળે એકી સાથે અનેક વિષયોનું સામાન્ય પણે અર્થગ્રહણ થાય આ વાત અમારા વડે સ્વીકારાઈ જ છે. તે વિષયમાં અમે નિષેધ કરતા નથી આ બોધ અનેક અર્થને અર્થાત્ અનેક વિષયને ગ્રહણ કરનાર હોવા છતાં પણ તાત્ત્વિક રીતે એક જ અર્થને ગ્રહણ કરનાર છે કારણ કે તે સામાન્યરૂપે જ ગ્રહણ થાય છે માટે,
ઉપરોક્ત વાતનો સાર આ પ્રમાણે છે” અનેક અર્થોનું ગ્રહણ એક સમયમાં જરૂર થાય છે એમ અમારા વડે પણ સ્વીકારાય છે. પરંતુ તે સામાન્ય રૂપને આશ્રયીને થાય છે વિશેષરૂપને આશ્રયી જે અનેકવિષયનું ગ્રહણ છે તે એકીસાથે એક સમયમાં થતું નથી. આવા પ્રકારનો આ વિશેષોપયોગનો જ નિષેધ અમારા વડે કરાય છે.
એક જ કાળે એક જ વિશેષનો ઉપયોગ આ જીવને થાય છે. તેથી ઘણા વિશેષોનો ઉપયોગ એકકાળે અમારા વડે નિષેધાય છે. ૫૨૪૪૨ા
અવતરણ :- આ જ હકિકત પ્રસ્તુત વિષયમાં સમજાવતાં કહે છે કેउसिणेयं सीयेयं न विभागो नोवयोगदुगमिट्ठं । होज्ज समं दुगगहणं, सामण्णं वेयणा मे ति ॥ २४४३ ॥
ગાથાર્થ :- આ ઉષ્ણવેદના થાય છે. અને આ શીતવેદના થાય છે. આ પ્રમાણે બન્ને વેદનાનો વિભાગ એકસમયમાં એકીસાથે થતો નથી. આ પ્રમાણે બે વિષયના ઉપયોગનો અમારા વડે નિષેધ કરાય છે. પરંતુ સામાન્યપણે “આ વેદના માત્ર છે” એ રૂપે બન્નેનું સામાન્યપણે ગ્રહણ સાથે જરૂર થઇ શકે છે. ॥ ૨૪૪૩ ॥
વિવેચન :- “આ અહીં ઉષ્ણવેદના છે. અને આ અહીં શીતવેદના છે." આ પ્રમાણે જે આ વિભાગવાર વેદનાનો અનુભવ છે. ભેદપૂર્વકનો વેદનાનો જે અનુભવ છે. તે જ અમારા વડે સ્વીકારાતો નથી. શીતવેદના અને ઉષ્ણવેદના એમ વિશેષ પણે એકસાથે બે વેદનાનું જે ગ્રહણ છે. તે જ અમારા વડે નિષેધાય છે. આ જ કારણે તે વિશેષધર્મને જાણવા રૂપે બે વિષયના બે ઉપયોગો એકીસાથે એક સમયમાં હોતા નથી.આટલો જ અમારા વડે નિષેધ કરાય છે.
કદાચ અહીં આવો પ્રશ્ન થાય કે શું એકીસાથે એક જ સમયમાં બે વસ્તુનું ગ્રહણ સર્વથા નથી જ સ્વીકારાતું ? તો આવા પ્રશ્નના ઉત્તરમાં સમજવું કે ના, એવું નથી ? તો તેનું કારણ એ છે કે શું એકીસાથે બે વસ્તુનું ગ્રહણ શું વિશેષસ્વરૂપે થાય છે ? તો