SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શાલિભદ્રસ્વામી નામના અંતિમ ઋતકેવલીની કથા. (૩૫૫ ) કહ્યું. “ અરે મેં એવું શું કર્યું છે કે જેથી તે પ્રસન્ન થયે છે ? કારણે અત્યાસથી કાંઈ પણ દુષ્કર નથી. અભ્યાસને લીધે મેં સરસવના ઢગલા ઉપર કરેલું નૃત્ય અને તે તેડેલી આંબાની લુંબ એ સર્વ થઈ શકે છે. પરંતુ નહિ અભ્યાસિત કે નહિ શિક્ષિત એવું જે સ્થૂલિભદ્દે કર્યું છે તે જ ખરેખર દુષ્કર છે. પૂર્વે તેણે હારી સાથે બાર વર્ષ પર્યત બહુ ભેગો ભેગવ્યા છે. તે અત્યારે હારા ચિત્ત રૂ૫ ચિત્રશાળામાં શુદ્ધ શીલ પાલતા છતા રહ્યા છે. સ્ત્રીઓના સંગથી ફક્ત સ્થલિભદ્ર વિના ગીઓના મનને પણ કામદેવ તુરત દૂષિત કરી દે છે. જેવી રીતે સ્થલિભદ્ર અખંડ વ્રત પાલી ચાર માસપર્યત સ્ત્રી સમીપે રહ્યા. તેવી રીતે એક દિવસ પણ કર્યો પુરૂષ રહેવા સમર્થ છે? લોઢાના સરખા દેહવાળાને પસનું ભેજન, ચિત્રશાલા જેવું નિવાસસ્થાન અને યવનાવસ્થા એમાંનું એક એક પણ વ્રતને નાશ કરાવનાર થાય છે તે પછી તે ત્રણે એકઠા થાય તેની તો વાત જ શી ?” જેણે આવી યુવાવસ્થામાં અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળ્યું તે સ્થૂલિભદ્ર નામને ક ઉત્તમ પુરૂષ છે, કે જેનું તું આવું વખાણ કરે છે ?” આવાં સૂથારના વચન સાંભળી કેશાએ કહ્યું. “ તે સ્થૂલભદ્ર, નંદરાજાના શકટાલ મંત્રીને પુત્ર છે. ” કેશના આવાં વચન સાંભલી તે સૂથારે હાથ જોડીને કહ્યું “તે સ્થૂલભદ્ર તપરવીને હું કિંકર છું.” પછી વેશ્યાએ તે સૂથારને જાણ માની તેને ધર્મ સંભલાવ્યો જેથી તે ઉત્તમ બુદ્ધિવાળે સૂથાર, મોહન નાશ થવાથી તુરત પ્રતિબંધ પામે. તેને પ્રતિબોધ પામેલે જાણ વેશ્યાએ તેને પિતાને અભિગ્રહ કહી સંભળાવ્યું. વેશ્યાના અભિગ્રહને સાંભળી જાણ પુરૂષોમાં મુખ્ય એવા સૂથારે વિસ્મય પામીને કહ્યું. “ હે શુભ ! તેં સ્થૂલભદ્રના ગુણનું વર્ણન કરી મને પ્રતિબંધ પમાડે છે માટે હવે સંસારથી અત્યંત ભય પામતે એ હું તે સ્થૂલભદ્રના માર્ગે ચાલીશ. હે કેશા ! હારું કલ્યાણ થાઓ, તું હારા અભિગ્રહને પાલ. એમ કહી તે સુથારે ગુરૂ પાસે જઈ દીક્ષા લીધી. સ્યુલિભદ્ર મુનિરાજ શુદ્ધ વ્રતનું પાલન કરતા હતા એવામાં બાર વર્ષને ઘોર દુકાળ પડે. માણસે દુખી થવા લાગ્યા એટલે સાધુઓ પરસ્પર વિચાર કરીને નિર્વાહાથે મહા સાગરને તીરે ગયા. આ વખતે સ્વાધ્યાય નહિ થવાથી તેઓ અભ્યાસ કરેલું શાસ્ત્ર ભૂલી ગયા. કારણ તપસ્વી એવાય પણ બુદ્ધિમંત પુરૂષનું અભ્યાસ કરેલું શાસ્ત્ર સ્વાધ્યાય નહિ કરવાથી નાશ પામે છે. દુભિક્ષને અંતે સર્વ સંઘ પાડલીપુર નગરે ભેગો થયો. ત્યાં જેને જે જે આવડતું હતું તે સવે એકઠું કરીને સંઘે અગીયાર અંગ પૂરા કર્યા. પછી સંઘને નેપાલ દેશના માર્ગમાં રહેલા ભદ્રબાહ મુનિના ખબર મલ્યા તેથી તેમને બોલાવવા માટે બે સાધુઓને મોકલ્યા. સાધુએએ ત્યાં જઈ આદરથી ભદ્રબાહુ ગુરૂને વંદન કરીને કહ્યું કે “ શ્રી સંઘ આગમને માટે તમને ત્યાં બેલાવે છે ” શ્રી ભદ્રબાહુ મુનીશ્વરે ઉત્તર આપે કે “હમણાં
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy