SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૫૪ ) શ્રી ઋષિમ‘ડલવૃત્તિ-ઉત્તરાદ્ધ મુનિને સાચું ખેલનાર જાણી ચાર રાજાએ રત્નક'ખલ ન લેતાં તેને છેડી દીધા. મુનિએ પાડલીપુર નગરમાં આવી કાશાને રત્નકખલ આપી. કાશાએ તુરત તે રત્નકખલને પાતાના ઘરની અશુચિ ખાલમાં ફેંકી દીધી. મુનિએ કહ્યુ, “ અરે મુગ્ધ ! દેવતાને પણ દુર્લભ એવી આ રત્નકખલને આવી અગ્નિ ખાલમાં કેમ ફેંકી દે છે ? ” વેશ્યાએ કહ્યું. “ અરે મૂર્ખ મુનિ ! તું નરકને વિષે પડતા એવા પેાતાના આત્માના શાક નહિ કરતાં આ રત્નકખલના શા માટે શાક કરે છે ? ” કાશાનાં આવાં વચન સાંભલી ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલા મુનિએ તેને કહ્યું, “હું શુભે ! તેં મને એધ પમાડયા છે અને સંસારમાં ભ્રમણ કરવાથી અટકાવ્યા છે. હવે હું અતિચારથી ઉત્પન્ન થએલા પાપાને નાશ કરવા માટે ગુરૂ પાસે જઇશ; તને ધર્મલાભ થાઓ. ’’ કાશાએ કહ્યું, “ મને પણ આપને વિષે મિથ્યાદુષ્કૃત છે, કારણ કે બ્રહ્મચર્ય વ્રતમાં રહેલી મેં આપને ખેદ પમાડયા છે. તમને પ્રતિબંધ પમાડવા માટે મેં તમારી આજે અશાતના કરી છે તે આપે ક્ષમા કરવી. હવે આપ ઝટ પધારી અને ગુરૂના વચનનું પ્રતિપાલન કરો. ” પછી તે મુનિ, કૈાશાના વચનને અ‘ગીકાર કરી શ્રી સ'ભૂતિ વિજય આચાર્ય પાસે ગયા. ત્યાં તે ઉત્તમ પ્રકારે આલેાચના લઈ મહા તપ કરવા લાગ્યા. અનુક્રમે ઉત્તમ સંયમ ધારી સંભૂતિ વિજય આચાર્ય પણ સમાધિથી મરણ પામી દેવલોક પ્રત્યે ગયા. અન્યદા પ્રસન્ન થએલા ભૂપતિએ કાઇ એક સુથારને કેશા વેશ્યાને ત્યાં માકલ્યા. કાશા પણ રાજાની આજ્ઞાથી તે સૂથારની રાગ વિના સેવા કરવા લાગી. “ સ્થૂલિભદ્ર વિના ખીજો કાઇ પુરૂષ નથી. ” એમ કેાશા હ ંમેશાં તે સુથારની આગઢ સ્થૂલિભદ્રનાં વખાણ કરતી હતી; તે ઉપરથી તે સૂથારે ઘરના ઉદ્યાનમાં જઈ પલંગ ઉપર બેસી વેશ્યાના મનને પ્રસન્ન કરવા માટે પેાતાનું વિજ્ઞાન ( ચાતુરી ) દેખાડવાં લાગ્યા. તેણે પ્રથમ એક ખાણુથી આંખાની ટુંબને વિધી. તે ખાણુને ખીન્ત ખાણથી વિધ્યું, તેને ત્રીજા ખાણુથી વિધ્યું, એમ એક બીજા માણુને વિધતા પોતાના હાથ પહેાંચી શકે ત્યાં સુધી પરસ્પર માણેાની હાર બાંધી. પછી પોતાના હાથથી તે આંબાની લુખ ખેંચી લઈ તેના ખીંટને તેાડી તે લુખ કાશાને આપી. પછી વિચક્ષણુ એવી કાશાએ પણ · મ્હારી ચાતુરી જો.” એમ કહી સરસવના ઢગલા કરાવી તેના ઉપર નૃત્ય કર્યું, એટલુંજ નહિં પણ તે સવના ઢગલા ઉપર સાય ખાસી તેના ઉપર પુષ્પ મૂકી તેના ઉપર નૃત્ય કરી દેખાડયું. એવી રીતે નૃત્ય ક્યો છતાં સાયથી ન વિંધાણુંા તેના પગ કે ન વેરાઇ ગયેા સરસવના ઢગલેા. પછી પ્રસન્ન થએલા સુથારે કહ્યું. “ હું હારી આવી ચાતુરીથી પ્રસન્ન થયા છું, માટે મ્હારા ઘરમાંથી કાઇ પણ વસ્તુ માગ કે તે હું તને આપું ” કોશાએ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy