SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) પ્રીષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ મેં મહાપ્રાણ નામનું ધ્યાન આરંભળ્યું છે તે બાર વર્ષ પૂર્ણ થશે. પછી હું આવીશ. મહાપ્રાણુ ધ્યાન સિદ્ધ થયે છતે કઈ પણ આવેલા કાર્યમાં સૂત્ર સહિત ચૌદ પૂર્વે ફક્ત એક અંતર્મુહૂત્તમાં ગણી શકાય છે. ” પછી તે બને સાધુઓએ સંઘની પાસે જઈ શ્રી ભદ્રબાહુ સ્વામીનું કહેલું નિવેદન કર્યું. શ્રી સંઘે ફરીથી બીજા બે સાધુને કાંઈ શીખામણ આપી ભદ્રબાહુ સ્વામી પાસે મેકલ્યા. તે બન્ને મુનિઓએ ૮ શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે જઈ શ્રી સંઘને આદેશ કહ્યો કે “જે સંઘની આજ્ઞા માન્ય ન કરે તેને શે દંડ આપે, તે અમને કહો. ” પછી જ્યારે ગુરૂએ શ્રી સંઘની આજ્ઞા ન માનનારને સંઘ બહાર કાઢી મૂ. ” એમ કહ્યું, ત્યારે પેલા બે સાધુઓએ કહ્યું કે “ ત્યારે આપજ તે દંડને એગ્ય થયા. ” ગુરૂએ કહ્યું. હાર શ્રી સંઘની આજ્ઞા પ્રમાણ છે. માટે હવે પછી એમ કરે કે શ્રી સંઘે હારા ઉપર કૃપા કરી કુશાગ્ર બુદ્ધિવાલા શિષ્યને અહીં મેકલવા હું તેમને વાચના દઈશ. તેમાં એક ચરીથી આવીને આપીશ, બીજી ત્રણ વાચના ત્રણ કાલવેલાએ, અને બાકીની ત્રણ સાંજે પ્રતિક્રમણ કરી રહ્યા પછી આપીશ. આમ કરવાથી હાર કાર્યને હરકત નહિ આવે અને સંઘનું કાર્ય થશે. ” આ વાત બને મુનિઓએ શ્રી સંઘને કહી, તે ઉપરથી હર્ષ પામેલા શ્રી સંઘે સ્થૂલભદ્રાદિ પાંચસે સાધુઓને ત્યાં મેકલ્યા. શ્રી ભદ્રબાહુ ગુરૂ તેમને વાંચના આપવા લાગ્યા, પણ “વાંચના અલ્પ મળે છે” એમ ધારી તેઓ ઉદ્વેગ પામી પિત પિતાને સ્થાનકે જતા રહ્યા. ફકત સ્થૂલભદ્ર પિતે એકલા ત્યાં રહ્યા. શ્રી ભદ્રબાહુ ગુરૂની પાસે રહેલા બુદ્ધિમાન સ્થલભદ્રે દશ વર્ષે આઠ પૂર્વને અભ્યાસ કર્યો. ગુરૂએ શ્રી સ્થૂલભદ્રને પૂછયું. “તું કેમ ઉદ્વેગ પામે છે? થુલભદ્રે કહ્યું “હે પ્રલે ! ઉગ પામતું નથી પરંતુ મને વાચના અલ્પ મલે છે.” ગુરૂએ કહી. “હારું ધ્યાન લગભગ પૂર્ણ થવા આવ્યું છે, માટે તે પૂર્ણ થયા પછી હું તને હારી મરજી પ્રમાણે વાચના આપીશ.” સ્થૂલભદ્રે પૂછયું. “હે ભગવન્! હારે કેટલેક અભ્યાસ કર બાકી છે?” ગુરૂએ કહ્યું. “સમુદ્રમાંથી બિંદુ માફક તે અભ્યાસ કર્યો છે.” પછી મહા ધ્યાન પૂર્ણ થયું, એટલે સ્થૂલભદ્ર ગુરૂના મુખથી ફક્ત બે વસ્તુ વિના દશ પૂર્વને અભ્યાસ કર્યો. એકદા શ્રી ભદ્રબાહુ મુનીશ્વર, સ્થૂલભદ્રાદિ સાધુઓ સહિત પાડલીપુરના ઉદ્યાનમાં આવ્યા. ગુરૂનું આગમન જાણું તપમાં તત્પર એવી યક્ષા વિગેરે સાધ્વીઓ કે જે સ્થૂલભદ્રની બહેને થતી હતી તે સ્થૂલભદ્રને વાંચવા માટે ઉદ્યાનમાં આવી. સાધ્વીઓએ, શ્રી ભદ્રબાહુ ગુરૂને વંદના કરીને પૂછયું કે “હે પ્રભે! સ્થૂલભદ્ર કયાં છે?” ગુરૂએ કહ્યું. “સમીપે રહેલા ન્હાના દેવમંદિરમાં છે.” પછી સાધ્વીએ ત્યાં જવા નિકલી. પિતાની ઓંનેને આવતી જાણી સ્કુલભદ્રે તેમને આશ્ચર્ય પમાડવા માટે સિંહનું રૂપ વિકવ્યું. સાધ્વીઓ સિંહને જોઈ ભય પામતી છતી ગુરૂ પાસે
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy