________________
'મહારાજ કાબા પરગણામાંથી નાનેર શરમમાં આ૫રગણું જમીનદારે ( ગરાસીયાઓ ) ના તાબામાં હતું, તેમાં બધા ગામેથી ગરાસીમા લોકો ચોથો ભાગ ખાતા હતા અને બે હજાર રવીને જમીન અત ( લશ્કર ) થી ગઝનવીખાનના તાબામાં હાજર રહેતા હતો. જે વખતે અમદાવાદને ધણી કોઈપણ કામગીરી કરે તે વખતે બીજા ત્રણ - જારનું લશ્કર લઈ તેની કુમકે આવી પહોંચતા અને મીરા તાલુકામાંથી બે લાખ, ચુંમાલીશ હજાર આઠસો પચાવન રૂપિયા વસુલ થતા હતા.
રાજપીપળાનો રાજા સંગ-આ ગરાસીઓ એક સ્વારા અને એક હજાર પ્યાદાથી અમદાવાદના બાદશાહની નોકરી કરતો હતો. તેની પિશકશી (ખંડણી) માફ હતી.
ફતેહખાન અને રૂસ્તમખાન વિગેરેની જાગીરે-આ બલુચા લોકો ચઉદ હજાર સ્વારથી નેકરીમાં હાજર રહેતા હતા.
રાધનપુર પરગણું અને માંડવી-પંદર લાખ મહેમુદી. સમી પરગણું—પાંચ લાખ મહેમુદી. સુપર પરગણું–આઠ લાખ મહેમુદી. કાકરેજ પવરાણું–સાત લાખ મહેમુદી. તીરવાડા પરગણું–આઠ લાખ મહેમુદી. ગોરવાડા પરગણું–ચાર લાખ મહેમુદી. સાંથલપુર પરગણું–ત્રણ લાખ મહેમુદી. થરાદ પરગણું–માંડવી વિગેરે સહિત પંદર લાખ મહેમુદી. માટલી પરગણું-દશ લાખ મહેમુદી.
જુમલે નવ મહાલની ઉપજ પંચોતેર લાખ મહેમુદી એટલે ૩૦ ત્રીસ લાખ રૂપિયા કાયમ કસવેલા હતા. .
- નીચે જણાવેલ રજપુતો તથા ગરાસીયાઓ પોતાનાં વતનની ઉપજ પિતે નોકરી બદલ પિતાની પાસે રાખતા હતા અને તેમની ખંડણી માફ હતી.
ઈડરને જમીનદાર પુજે રાઠોડ-બે હજાર સ્વારના લશ્કરથી.
ડુંગરપુરને જમીનદાર રાણે સહસમલ-એક હજાર સ્વારોના લશ્કરથી.
વાઘેલા ઝાલા-ઝાલાવાડને સઘળો ગરાસ તેના કબજા–ભોગવટામાં હતું અને તે એક હજાર સ્વારના લશ્કરથી નોકરી કરતો હતો.