________________
[ ૨૧૩ ]
આવ્યા. એજ વર્ષમાં સુરત તથા ખંભાતના મુત્સદીએ જવાહીર, વચ્ચે', અને અરખી તથા ઇરાકી ઘોડા એઉ બંદરમાંથી ભેગા કરી ખીજી સુંદર ભેટા સહીત હજુરમાં મેાકલેલ તેમજ રત્નજડીત્ર હથિઆરે, એંશી ઘેાડા અને અહમદાબાદી વસ્ત્રો ઇસલામખાત સુખાનાં મેકલેલાં પણ હજુરની સમક્ષ નજર કરવામાં આવ્યાં.
સને ૧૪૨ હિજરીમાં ચારહજારી જાતના અને ત્રણહજાર વારાનું મનસખ રાખનાર સઇદ દિલેરખાન વડોદરાના ફોજદાર આ દુનિયાથી કુચ કરી ગયે।. સુખાના દીવાન આકાાઝિલને ડેાદરાની ફાજદારી આપવામાં આવી અને ગુજરાતના સુબાના દિવાન તરીકે રિઆયતખાનને નીમવામાં આવ્યેા. ઇસલામખાનની સુએગીરીમાં એનાથી વધારે કઇ વૃત્તાંત જોવામાં આવેલ નથી.
વીશમા સુબા નજમસાની બાકરખાન, સને ૧૪-૧૪૩ હિજરી,
સને ૧૦૪૨ ના રજખમાસમાં ચારહજાર જાતના અને ચારહજાર સ્વારાના મતસબનું ભાત ધરાવનાર નજમસાની બાકરખાન પોતાના પુત્રાસહીત અલીઆથી આવી સરકાર સેવામાં હાજર થયા અને એકહજાર મેહરાની ભેટ, રત્નજડીત્ર હઆરા તથા સોનેરી હથીઆરા આશરે એલાખ રૂપીયાની કંમતનાં પેશકશી દાખલ ભેટ કર્યાં. જેથી તેને હાથી, પેાશાક તથા સોનેરી સામાનને ઘેાડા સરકારમાંથી માન સાથે આપવામાં આવ્યા અને ઇસલામખાનની ફેરબદલીથી ખાલી પડેલી ગુજરાતની સુએગીરી ઉપર તેની નિમણૂંક થઇ, તેથી તે રવાને થઇ ગુજરાતમાં આવી પહોંચી કામકાજ કરવા લાગ્યા અને તેણે તેજ વ આખર ઇરાકી ઘેાડા, સારાં અને સુદર વચ્ચે તથા ચાલીશ કચ્છી ધોડા પેશકશી દાખલ હજુરમાં માકળ્યા. તે શિવાય શ્રીજી કંઇ તેની સુએગીરીમાં અનેલું જણુાતુ નથી.
રિઆયતખાનની દીવાની.