SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮æ ] કરમદારી એ ખલ્ક અનુ મરદુ ભીત, કસેરા કે હરદા ખુદ આમીરત; નિશાના કે નામે ખુદ દર જહાં; કરમ કુન કે નામત ખુદ દર નિહાં, કરમ યાદગારીસ્ત દરરોઝે ગાર, ખુન જહદ તામાન દઈ યાદગાર; ૨. ચાર તથા લુટારા લોકો પ્રજાના માલને લુ...ટી લઇ જાયછે અને તે જગ્યાના માણસે જેની ચારી થઇ હાય તેને પા। અપાવી શકતા નથી તેમજ જે ઠેકાણે વસ્તી ન હાય તે ઠેકાણે કઇં બની પણ શકતુ નથી. તેથી અમે હુકમ કરીએ છીએ કે કસ્બાએ વસાવવા અને વસ્તી ભેગી કરવી કે જેથી કરી પ્રજાને કંઇપણુ દુ:ખ પડે નહીં. અને વળી અમે જાગીરદારાને પશુ તાકીદ કરી છે કે જે ઠેકાણે ઉજ્જડ મેદાન હેાય તે દરેક માર્ગમાં મસદ, મેટી ધર્મશાળા અને પાણીનાં તળાવા ખાદાવવાં, કે જેથી વસ્તી વધે અને પંથીઓ સુખે આવજાવ કરે; જો તે જમીન અમારા નામે દાખલ હાય તા તે ઠેકાણે અવશ્ય જકાત કારકુન હશે, તેણે અમારાં મેહસુલમાં જમે થએલાં નાણાંમાંથી ઇમારતા બાંધવી અને જકાત કારકુને સરકારી અમલદારને ખબર કરવી. ૩.કાપણુ માણુસે રસ્તામાં વહેપારીઓના માલને તેમની રજા શિવાય ઉધાડા કરાવવા નહી, પણ જો તે પોતેજ વેચવાને ખુશી હોય તા જે કાઇ લેવા ચાહે તે ખરીદ કરે. ૪. કોઇપણુ માણુસ મૃત્યુ પામે અને સરકારી કંઇ પણ લેણું તેની ઉપર ન હાય તેમજ પાછળ કંઇ સંતાન મુકી ગયા હાય તેા એક રજ પણ લેવા માટે તેની માલમિલકતમાં કાએ હાથ ધાલવા નહીં અને તેના સંતાનને પણ સતાવવાં નહીં. પરંતુ જે માણસને ખરા સંતાન કે ખરા વારસ ન હાય, તેા તેના વારસાને તથા માલમિલકતને મસદ, તળાવ, પુલો અને ધર્મશાળા વિગેરે બનાવવાના કામમાં લગાડવી, કે જેથી કરી પરલોકમાં ગએલા મનુષ્યના આત્માને સદ્ગતિ થાય. ૫. દારૂ બનાવવા નહીં તેમ વેચવા પણ નહીં. જોકે અમે એવા હુકમ કર્યાં છે તેાપણ હું પોતે દારૂને ધણા મેાહ રાખુંછું. મારી સેાળ વર્ષની ઉમ્મર હતી ત્યારથી મેં દારૂ પીવા માંડયા હતા. જે મન ગમતી રીતે પુરૂષ અને સ્ત્રીએ દારૂની સાથે સારી હવા અને સુંદર મકાન
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy